SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ | |_ ૪૨ વીર ! મધુરી વાણી તારી શકે છે તો તેઓ અધિક વિનાશ પમ પામી જ શકે, એથી પણ વધુ અદિક વિનાશ પણ જરૂર જરૂર પામી શકે. જો તેમ ન થઈ શકતું હોત તો ઠોઠ નિશાળીઓ, ગામઠી માસ્તર, શહેરનો શિક્ષક, હાઈસ્કૂલના પ્રિન્સીપાલ, કોલેજનો પ્રોફેસર, સાપેક્ષવાદ ઉપર પી.એચ.ડી. થએલો એક મહાન ગણાતો અધ્યાપક, કેમ્બ્રીજ યુનિવર્સીટીનો ફાધર, ડૉ. ઝીવાળો નામની રશિયન કથાનો લેખક અને આલ્બર્ટ આઈન્સ્ટાઈન આ ચઢતી જતી જ્ઞાનશ્રેણિ શી રીતે સંભવતે? રે! એક જ “પીળા રંગ' ઉપર સંકેડ લેખકોએ મહાનિબંધો લખ્યા. અને તેમાંથી કોઈ પણ બે-એક સરખાં નથી. લાખો વિદ્યાર્થીઓ એસ.એસ.સી.ની પરીક્ષામાં ઉત્તીર્ણ થાય છે. તેમાંના કોઈ પણ બે બધી વાતે એક સરખાં આજ સુધીમાં ગણાયા નથી. ચાર અબજની માનવ સંખ્યામાં દરેક માનવને જ્ઞાન છે. છતાં એક પણ માનવના જ્ઞાનની બિલકુલ બરોબરી કરે તેવું જ્ઞાન જગતનો બીજો કોઈ પણ માનવ ધરાવતો નથી. જ્ઞાન દરેકનું જુદું ! જ્ઞાન દરેકનું ઓછું-વધતું. પણ જો ઠોઠ નિશાળીઆ કરતાં વધુ જ્ઞાની ગામઠી માસ્તર ગણાતો હોય, તેના કરતાં ય શહેરી શિક્ષક વધુ જ્ઞાની ગણાતો હોય અને છેવટે આલ્બર્ટ આઈન્સ્ટાઈન વિશ્વનો સૌધી વધુ જ્ઞાની કહેવાતો હોય તો આલ્બર્ટ કરતાં ય વધુ જ્ઞાની કેમ ન થઈ શકાય? માટેતો એક મનોવૈજ્ઞાનિકે આગાહી કરી છે કે થોડા જ સમયમાં વિશ્વને સેંકડો આલ્બર્ટ આઈન્સ્ટાઈનોના દર્શન થશે. કેમકે વિશ્વનો જ્ઞાનકોશ વધતો જ જાય છે. દિવસે દિવસે વધતો જ રહે છે. અસ્તુ. એની આગાહીને આપણે ચર્ચવી નથી. અહીં તો વાત એટલી જ છે કે કોમ્પ્લબસની અમેરિકાની શોધખોળ પૂર્વેની દુનિયા પૂર્ણ જગતને પામ્યાનું માનતી હતી છતાં નવું જગત જોડાયું તેમ આજના જ્ઞાનમાં બીજું અનંત જ્ઞાનવૃદ્ધિ કેમ ન પામે? અને એ રીતે પૂર્ણજ્ઞાનની ટોચ મર્યાદા પણ ભૂતકાળમાં કોઈકને પણ કેમ સ્પર્શાઈ ન હોય? ભાવમાં ફરી બીજા કોઈને કેમ સ્પર્શાવાની ન જ હોય? જગતના જ્ઞાન તો અજ્ઞાનાવરણના હ્રાસથી ઉત્પન્ન થયેલા છે.
SR No.008947
Book TitleVeer Madhuri Vani Tari
Original Sutra AuthorN/A
AuthorRatnasundarsuri
PublisherRatnasundarsuriji
Publication Year
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size572 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy