SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ વીર ! મધુરી વાણી તારી દોષાભાવનું હેતવચન મૂક્યું છે. જ્યારે ત્રીજા શ્લોકમાં ફળવચન મૂક્યું છે. રાગદ્વેષ જતાં વીતરાગતાનો ગુણ પ્રગટ થયો. મોહ જતાં સર્વજ્ઞતા ગુણ પ્રગટ થયો. આમ ત્રીજા શ્લોકમાં રાગાદિનો નાશ થતા જે વિશિષ્ટ ગુણો ઉત્પન્ન થાય છે તેનું નિરુપણ કરવામાં આવ્યું. મુકતાત્મા વીતરાગ-સર્વજ્ઞ ન હોય, એવી સાંખ્યમતની વાતનું ખંડનઃ બીજી રીતે પણ આ વાતને આપણે વિચારી શકીએ કે પ્રથમના બે શ્લોકમાં મહાદેવમાં રાગાદિના અભાવની જે રજૂઆત કરી તેનાથી જ એ વાત સમજાઈ જાય છે કે મહાદેવ તેમને કહેવાય જેમનામાં વીતરાગતા વગેરે ગુણો પ્રગટ થયેલા હોય. જ્યાં રાગાદિનો અભાવ હોય તે મહાદેવ - જેમનામાં વીતરાગતાદિ ગુણો પ્રગટ થયા હોય તે મહાદેવ. હવે જો આ રીતે પ્રથમના બે શોકથી જ મહાદેવમાં વીતરાગતાદિ ગુણોના પ્રાગટ્યની વાત ફલિત થઈ જતી હોય તો શા માટે ત્રીજા શ્લોકમાં ફરીથી કહેવું જોઈએ કે જે વીતરાગ હોય, સર્વજ્ઞ હોય તે મહાદેવ કહેવાય? આ તો પુનરુકિત દોષ આવ્યો ને? આનું સમાધાન એ છે કે પ્રથમના બે શ્લોકથી જ મહાદેવમાં વીતરાગતા વગેરે ગુણોના સદુભાવની વાત સમજાઈ જાય છે છતાં ત્રીજા શ્લોકમાં તે જ વાત એટલા માટે કરી છે કે કોી એમ ન સમજી લે કે મહાદેવમાં રાગાદિનો અભાવ જ થાય છે અને પછી વીતરાગતા વગેરે ગુણો પ્રગટ થતાં જ નથી! સાંખ્યમતની આવી જ માન્યતા છે કે પ્રકૃતિ નામના જડતત્ત્વને અનાદિકાળથી પુરુષ (વિશુદ્ધ આત્મા) સાથે સંબંધ છે. તે પ્રકૃતિમાંથી જ જ્ઞાન વૈરાગ્ય વગેરે ગુણો પ્રગટ થયા છે. હવે જ્યારે પ્રકૃતિનો આત્માથી વિયોગ થવા રૂપ આત્મમોક્ષ થાય ચે. ત્યારે એ પ્રકૃતિના જ્ઞાન-વૈરાગ્ય વગેરે ગુણો પણ આત્માથી દૂર થઈ જાય છે. સંસારી અવસ્થામાં આત્મામાં જ્ઞાનાદિ ગુણો હોય છે પણ તેની મશ્નાવસ્થામાં તે ગુણોનો નાશ થઈ જાય છે. પ્રકૃતિના જ્ઞાનાદિગુણો પ્રકૃતિનો વિયોગ થતાં જ આત્મામાંથી છૂટા પડી જાય હવે જો આ અષ્ટકમાં માત્ર પ્રથમ બે શ્લોક હોય અને આ ત્રીજો શ્લોક ન હોય
SR No.008947
Book TitleVeer Madhuri Vani Tari
Original Sutra AuthorN/A
AuthorRatnasundarsuri
PublisherRatnasundarsuriji
Publication Year
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size572 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy