________________
| |_
વીર ! મધુરી વાણી તારી
તો સંભવ છે કે સાંખ્યમતાનુયાયી એમ કહી દે કે અહીં પણ આત્મામાં રાગાદિનો અભાવ મહાદેવત્વનો નિયામક કહ્યો છે પરંતુ વીતરાગત, સર્વજ્ઞત્વ વગેરે ગુણો મહાદેવમાં હોવા જોઈએ તેવું તો અક્ષરશઃ કહ્યું નતી માટે અમારા જ મતની પુષ્ટિ થાય છે.
આવી ગેરસમજ ઊભી ન થાય તે માટે આ ત્રીજા શ્લોકમાં સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે જમનામાં વીતરાગત-સર્વજ્ઞત્વાદિ ગુણો પ્રગટ થાય તે જ મહાદેવ કહેવાય.
હકીકતમાં સાંખ્યમત યુક્તિસંગત પણ નથી જ. કેમકે જ્ઞાન-વૈરાગ્ય (વીતરાગ7) વગેરે ચૈતન્યના સ્વભાવો છે અને ચૈતન્ય એ આત્માનું સ્વરૂપ છે તેમ તો કહ્યું જ છે. તો આત્માના સ્વરૂપ જેવા જ્ઞાનાદિ સ્વભાવો પ્રકૃતિનો વિયોગ થતાં આત્મામાંથી શી રીતે દૂર થઈ જાય! છદ્ભસ્થ મહાદેવ અને ભવસ્થકેવલી મહાદેવઃ
આ તો પુનરુક્તિ દોષન આવે તે માટેનો એક યુક્તિસંગત રસ્તો છે. પરંતુ કેટલાક આચાર્યો તો કહે છે કે પ્રથમના બે શ્લોકના કથનથી જ મહાદેવમાં વીતરાગતા-સર્વજ્ઞતા વગેરે ગુણોના સદ્ભાવની વાત સ્થિર થઈ જાય છે.
મહાદેવના સ્વરૂપમાં રાગાદિના અભાવનું નિરુપણ એ, એ મહાદેવના સ્વરૂપનું નિષેધમુખી (Negative) નિરુપણ છે. એનાથી આપોઆપ વિધિમુખી (Positive) નિરુપણ ફલિત થઈ જ જાય છે કે મહાદેવ એટલે વીતરાગ-સર્વજ્ઞ. અહિંસા એટલે હિંસાનો અભાવ તે અહિંસાની નિષેધમુખી વ્યાખ્યા થઈ, અને દયા તે અહિંસાની વિધિમુખી વ્યાખ્યા થઈ.
હવે પછી પ્રશ્ન થાય કે ત્રીજા શ્લોકના પ્રથમ ચરણમાં ફરી એ વાત શબ્દથી કેમ કહી? જો અર્થથી પ્રથમ બે શ્લોકમાં જ કહેવાઈ જતી હોય તો?
આ પ્રશ્ન તેમના અંતરમાં સ્ફર્યો અને જાણે તેઓ ગૂંચવાયા. તેથી તેઓ હવે એમ કહે છે કે પ્રથમ બે શ્લોકમાં જે કહ્યું છે તે મહાદેવની સ્વરૂપ અવતાને અનુલક્ષીને ન સમજવું કિંતુ મહાદેવની છદ્મસ્થ અવસ્થાને અનુલક્ષીને સમજવું. આમ કરવાથી એ શ્લોકમાં રાગાદિના જે વિશેષણ મૂક્યા છે તે સ્વરૂપવિશેષણ તરીકે લેવા નહિ પડે. હવે વ્યવચ્છેદકવિશેષણ તરીકે જ લઈ શકાશે.
રાગ બે પ્રકારના છે. સકલેશને ઉત્પન્ન કરનારા ભયંકર કોટિના રાગ અને સંકલેશને નહિ ઉત્પન્ન કરનારા દુબળા રાગ ઈત્યાદિ.