________________
IL
વીર ! મધુરી વાણી તારી
વિરાગી કહેવાય તો બીજા લોકો પણ તેવા કેમ ન કહેવાય?
આ પ્રશ્નનો ઉત્તર એ જ છે કે હા, જરૂ તેમ કહી શકા પરંતુ તે માટેની જે શરત છે તે ત્યાં હોવી જોઈએ. પોતાની વિરાગની વૃત્તિ હોવા છતાં જો કર્મ વગેરેની લાચારીથી રાગની પ્રવૃત્તિ તેમને કરવી પડતી હોય તો તેમને તેનો અત્યંત ભયાનક ત્રાસ હોવો જોઈએ.
રાજા ભરત રાગની સામગ્રીમાં હોવા છતાં અત્યંત સંતપ્ત હતા; ભારે દુઃખી હતા. કુમાર વર્ધમાન યશોદા સાથેના લગ્નની (વિવાહ) વાત સાંભળતા અત્યંત ઉદાસ થઈ ગયા હતા. શ્રેષ્ઠિપુત્ર ગુણસાગરનો દેહ ચોરીમાં હતો. મન તો વિરાગી જીવનના સ્વપ્નોને લાવતી ભવ્ય નિદ્રામાં કયારનું ય પોઢી ગયું હતું.
તમે તપાસો બીજાના જીવન ચરિતોને! તેમની તે ચેષ્ટાઓના પેલે પાર ક્યાંય ઉદાસીનતા જોવા ય નહિ મળે! મનના સંતાપની આછીપાતળી ઉષ્ણતા ક્યાં ય સ્પર્શવા પણ નહિ મળે. ગોર હિંસાઓની પ્રવૃત્તિના ભૂગર્ભમાં પશ્ચાત્તાપના નિસાસા નાંખતું રૂદન કોઈ ખુણે સાંભળવા નહિ મળે.
જો તેઓ સાચે જ અનાસક્ત હોત, જો ભોગકર્મ જ તેમને તે ક્રિયાઓની ફરજ પાડી હોત તો તે ક્રિયાઓના વર્ણન સાથે તેમની મનોદશાના સંતાપના પાપનું ત્યાં સવિસ્તર ધ્યાન કરવામાં આવ્યું જ હોત
પણ તેવું ક્યાં ય કશું ય જોવા સાંભળવા જ મળતું નથી. જીવન અને સ્વરૂપનો મૂર્તિથી નિર્ણયઃ
અહીં એક વાતનું વિશેષરૂપે સૂચન કરી દેવાનું ઠીક લાગે છે કે જેમ વ્યક્તિની આંતરવૃત્તિઓનું અનુમાન એ વ્યક્તિના જીવન અને સ્વરૂપથી થાય છે (જેમ વીતરાગ ભાવનું અનુમાન એ વીતરાગોના જીવન અને સ્વરૂપમાં વણાયેલી વીતરાગતાથી કર્યું) તેમ તે વ્યક્તિના જીવન અને સ્વરૂપમાં વણાયેલા ભાવોનો નિર્ણય તે વ્યક્તિની મૂર્તિની આકૃતિ ઉપરથી થઈ શકે છે.
કદાચ કોઈ કહે કે અમે તે વીતરાગ વ્યક્તિના જીવન અને સ્વરૂપ જોયા નથી; માત્ર સાંભળ્યા છે. તો તેટલા માત્રથી તે જીવન અને સ્વરૂપમાં વણાયેલી વીતરાગતાને કબૂલીને તેમના આત્માની વીતરાગતાનું અનુમાન શી રીતે કરી શકાય? આવી શંકા સામે આ જવાબ છે કે જીવન અને સ્વરૂપમાં વણાયેલા ભાવનો નિર્ણય મૂર્તિના સ્વરૂપમાં રહેલા ભાવથી થાય છે. જો તે વ્યક્તિની મૂર્તિ વીતરાગભાવને વ્યક્ત