________________
વીર ! મધુરી વાણી તારી
સાંભળવા નહિ મળે ઢે-ભાવથી પ્રેરાએલી ભયભરી અશાંતિઓ, અને કદી જોવા - સાંભળવા નહિ મળે અજ્ઞાનભરી બેગી પ્રવૃતિઓ.
રાગવિહોણાંને શંગારસના ગલીચ તોફાન શા? રોષવિહોણઆંને અશાંતિના ઉકળાટ શા? નિર્મોહીને બેઢંગી પ્રવૃત્તિઓ શેનડ
આપણે શોધી કાઢવા મથીએ એવા કોઈના સ્વરૂપને અને જીવન ચારિત્રને. અને બેઢદક આપણે નમી પડીએ એ મહાદેવને. પછી નામથી તે ગમે તે હો.
આ જ દૃષ્ટિથી કલિકાલ સર્વજ્ઞ ભગવાન હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજએ સોમનાથ પાટણના મંદિરમાં મહાદેવજીની સમક્ષ ગાયું હતું કે, “સંસારવૃક્ષને ઊભું કરવાની તાકાત ધરાવતા રાગાદિ બીજનો જેમણે નાશ કર્યો હોય તે નામથી ભલે બ્રહ્માજી હોય, વિષ્ણુ હોય, જિન હોય કે હર હોય - મારો તેમને નમસ્કાર છે.
કેવું નિશ્ચયગર્ભિત અપાર ઔદાર્ય! કેટલું સત્યાસાપેક્ષ પ્રતિપાદન!
અતિતના અનંતકાળમાં અનંતાનંત આત્માઓ જિન બન્યા જિનેશ્વર બન્યા. એમણે રાગાદિભાવોને જ પોતાના એકના એક શત્રુ જાણ્યા. અને એમનો સર્વનાશ કરી દેવા બધું ય રી છૂટયાં. એમણે ઘરબાર ત્યાગ્યા, સ્વજન-પરિવાર ત્યાગ્યો, સંપત્તિ ત્યાગી. બધું જ ત્યાગ્યું. જે દેહને સાથે લઈને સાધનાના પંથે નીકળી પડયા એ દેહનું મમત્વ પણ ત્યાગી દીધું.
રાગાદિ આંતર શત્રુઓના નાશ માટે તાતો પુરુષાર્થ ખેલી નાંખ્યો. અને અંતે એઓ રાગવિજેતા, ષવિજેતા, મોહવિજેતા બન્યા. | સર્વજ્ઞ અને સર્વદર્શી બનેલા તેઓએ જગતને જે બોધ આપ્યો તેમાં પણ આ એક જ વાત કરી કે, “રાગાદિ આંતર શત્રુઓનો વિનાશ કરો. એના સદ્ભાવમાં તમે કદી પણ સુકી અને સારા, શાંત અને સ્વસ્થ રહી શકતા નથી.”
સાચા અને સંપૂર્ણ, અવિનાશી અને અબાધિત સુખની પ્રાપ્તિ માટે રાગાદિ શત્રુઓનો નાશ અનિવાર્ય શરત છે.
આજ સુધીમાં જેટલા જિન થઈ ગયા તે બધાયના સ્વરૂપમાં રાગ-દ્વેષ અને મોહના સર્વથા અભાવની વિરુદ્ધ જતી કોઈ બાબત જોવા મળતી નથી. નથી ક્યાં ય સ્ત્રીનો રંગ, શસ્ત્રોનો સ્પર્શ કે બેઢંગી ખોપરીની માળા જેવું કોઈ પણ તત્ત્વ.
નથી તેમના જીવનમાં શૃંગારરસનું તોફાન; અશાંતિ અને ઉકળાટની કોઈ