________________
વીર ! મધુરી વાણી તારી
પ્રવૃત્તિ પ્રાયઃ સંભવી શકતી નથી.
હા. કદાચ સંભવે વૃત્તિ વિરોધી પ્રવૃત્તિ. વિરોગી પણ રાગના ઘરમાં રહી જાય; ભૂખ્યો પણ ભોજન વિના બેસી રહે; શેઠ પણ નોકરની નાલાયકીને નભાવી લે.
પણ આવું ક્યારેક જ સંભવે. જ્યારે આસપાસની પરિસ્થિતિ લાચાર બનાવે ત્યારે વૃત્તિથી વિરોધી પ્રવૃત્તિ સંભળી શકે. એથી જ લાચારીથી વૃત્તિ વિરોધી પ્રવૃત્તિ કરનાર માણસ એ પ્રવૃત્તિમાં કદી આનંદ પામે નહિ; એટલું જ નહિ પણ એવી મનતનની વિસંવાદિતાનો ત્રાસ અત્યંત અસહ્ય બની જાય. એટલો અસહ્ય કે કદાચ સાતમી નારકના જીવોના કાળઝાળ કાયિક તાપ પણ મનના આ સંતાપ પાસે વામણા બની જાય.
આવી વિસંવાદિતામાં રહેતો માણસ પરિસ્થિતિને અનુકૂળ બનવાની જ રાહ જોતો હોય. જેવી અનુકૂળતા મળે કે એ કૂદી પડે અને વૃત્તિને અનુરૂપ પ્રવૃત્તિને જીવનમાં લાવી જ મૂકે.
રાગના ઘરમાં વિરાગી રહેતો હોય તો પણ તક મળતાં જ એ ઘરમાંથી નાસી છૂટે. વિરાગના ઘરમાં રહેતો રાગી તક મળતાં જ સંસારમાં ભાગી છૂટે છે તેમ.
વૃત્તિ-પ્રવૃત્તિ વચ્ચેનો વિરોધ પ્રાયઃ સભવે નહિ. અને છતાં જો કદાચ તેમ બને તો એ વિરોધને ત્રાસ એ વિરોધને ખતમ કરી નાંખવાની તક શોધતો જ હોય. તક માથાં જ એ વિરોધ વિનાશ પામી જાય.
વૃત્તિ-પ્રવૃત્તિના વિરોધમાં જીવન જીવવું ભારે થઈ પડે છે. એથી જ કેટલાક આત્માઓ વૃત્તિનું શમન કરીને એ વિરોધને મિટાવી દે છે તો કેટલાક પ્રવૃત્તિને તાણી લાવીને એ વિરોધ મિટાવે છે. - સંતો દુત્તિઓના શમન કરે છે, સવૃત્તિઓ ને છાજતી પ્રવૃત્તિને જીવનમાં ઉતારે છે. આ રીતે તેમના વૃત્તિ-પ્રવૃત્તિના વિરોધ મટે છે.
જ્યારે સંસારી આત્માઓને શુભ વૃત્તિઓ જાગતી નથી અને દુવૃત્તિને શમાવવાને બદલે એને અનુકૂળ થતી દુષ્ટ પ્રવૃત્તિને જીવનમાં તાણી લાવીને વૃત્તિ-પ્રવૃત્તિ વચ્ચેનો વિરોધ મિટાવે છે.
ગમે તેમ હો. એક વાત નિશ્ચિત છે કે જેની જે વૃત્તિ હોય તે વૃત્તિ તેના જીવનમાં પ્રવૃત્તિરૂપે પરિણમે જ. સંયોગવશાત્ કદાચ કેટલોક સમય તેવું ન પણ બને તો તે સમય અત્યંત ત્રાસરૂપ હોય. અને વહેલી તકે એ વિરોધ ટાળવાની તમન્ના અત્યંત