________________
IL
વીર મધુરી વાણી તારી
ભાવ બે પ્રકારના છે. શુભ અને શુદ્ધ.
જગતના દેવાદિ પદાર્થોના રાગાદિ એ શુભ ભાવ છે. જ્યારે આત્માનો પોતાનો જ પોતાનામાં ઉપયોગ તે શુદ્ધભાવ છે. પદાર્થોના માધ્યમથી આત્મામાં જે ભાવ જાગે તે શુભભાવ કહેવાય. એ શુભભાવની પરંપરા ચાલતાં ચાલતાં પરપદાર્થનું માધ્યમ દૂર થઈ જાય છે અને આધ્યા સ્વમાં જ સ્થિર થતાં શુદ્ધોપયોગનું જીવન પામે છે.
પ્રારંભમાં શુભભાવની સાધના આવશ્યક છે. લક્ષમાં શુદ્ધોપયોગ અનિવાર્ય છે. પ્રારંભમાં શુદ્ધોપયોગને પકડવા જનારો નિષ્ફળ જાય છે.
અશુભપદાર્થોના માધ્યમથી અશુભ ભાવોના જીવનમાં ટેવાયેલા આત્મા અશુભભાવોનો નાશ કરવા ઈચ્છતો જ હોય તો તે નાશ શુદ્ધોપયોગની વાતોથી કદી નહિ થાય. એ માટે તો દેવ ગુરુ આદિ શુભપદાર્થનું માધ્યમ લઈને શુભોપયોગ જ સ્પર્શવો પડશે.
અશુદ્ધ અષ્ટપુષ્પીનો પૂજક અશુભભાવોના વાતમંડળમાંથી મંદિરમાં આવ્યો છે. એણે અશુભભાવોને ટાળવા માટે દેવપ્રતિમા વગેરે શુભપદાર્થોનું માધ્યમ લેવું જ રહ્યું અને તેના દ્વારા શુભપયોગને જગાડવો જ રહ્યો. એ શુભોપયોગ જ અશુભભાવોને નાબૂદ કરી શકે.
આ શુભોપયોગને પામવા માટે જેમ દેવપ્રતિમાનું આલંબન અનિવાર્ય છે તેમ તે દેવપ્રતિમાના પૂજન માટેની તમામ આરાધના થઈ ગયા વિના રહેતી નથી. દ્રવ્યસ્નાન, પુષ્પપૂજન વગેરે ક્રિયાઓ બેશક અવદ્ય સ્વરૂપ છે છતાં એ થઈ જાય છે. આની પાછળ પૂજકનો દેવાદિ પ્રત્યેનો અત્યગ્ર રાગભાવ કારણ બને છે.
પૂજનના ઉમળકામાં થઈ જતી અવદ્ય ક્રિયાઓ વસ્તુતઃ અવદ્ય ક્રિયા જ નથી તેથી જ તેનાથી થતો પાપ કર્મબંધ નિરનુબંધ બનીને શીધ્ર નાશ પામી જાય છે.
પરંતુ શુભભાવની જ્યોત જગાડવાનું આ પૂજન અવદ્યનું કાજળ ઉત્પન્ન તો કરી જ જાય છે એટલે આ પૂજન શુદ્ધ પૂજન ન કહી શકાય પરંતુ અવદ્ય મિશ્રિત હોઈને અશુદ્ધ પૂજન જ કહેવાય.
નિશ્ચયદૃષ્ટિથી તો જીવહિંસાના થઈ જતાં અવદ્યથી જેમ દેવ પ્રતિમા પ્રત્યેનો