SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ IL ૧૬૪ વીર ! મધુરી વાણી તારી કરી શકે છે. ભાવ-આચાર્યની પાસે આવશ્યકક્રિયાઓ સાધ્વીજી કરી શકતા નથી; છતાં સ્થાપના આચાર્ય પાસે કરી શકે છે. વળી કોઈ એમ પણ નહિ કહી શકે કે, “સાધ્વીઓ પોતાના પ્રવર્તિનીની સ્થાપના કરીને તેમના સામે આવશ્યક ક્રિયા કરે છે. કેમકે પ્રતિક્રમણમાં આવતાં ચૈત્યવંદન વખતે તો મહાવીરાદિ ભગવંતોની સ્થાપના એ જ સ્થાપનાચાર્યણાં કરવી જ પડે છે. એટલે દ્વાદશાવત૪ વંદનાદિની અમુક ક્રિયા વખતે તો આચાર્યની સ્થાપના કલ્પવામાં આવે છે. અને ચૈત્યવંદનાદિ ક્રિયા વખતે એ જ દડુ વગેરેમાં પરમાત્મા મહાવીરદેવની સ્થાપના કલ્પવામાં આવે પ્રશ્ન-પરમાત્મા તો વીતરાગ છે. નથી તે સ્ત્રી, નથી તે પુરુષ એટલે સાધ્વીઓ તેમની સ્થાપના કરે તેનો વાંધો પણ નથી. પરંતુ આચાર્યની સ્થાપના તેમનાંથી કેમ થઈ શકે ? તે તો પુરુષ છે ને? ઉત્તર - એ વાત તો બિલકુલ બરોબર નથી. પરમાત્મા વીર પુરુષ તો કહેવાય જ. અન્યથા ગૌતમાદિ ગણધરો તેમા અંગનો સ્પર્શ કરી શકે અને સાધ્વી ચન્દનાદિ તેમ ન કરી શકે એળો ભેદ શી રીતે ઘટે? વીતરાગો પણ પોતાના દ્રવ્યલિંગ મુજબ વ્યવહારમાં રહે છે. માટે જ તો વીતરાગ ભગવાન મલ્લિનાથ સાથે રાત્રિના સમયે ગણધરો રહેતા ન હતા; કેમકે તે બધા પુરુષ હતા. એટલે એ વાત નક્કી થાય છે કે ભાવનિક્ષેપ અને સ્થાપના નિક્ષેપનો વ્યવહાર સર્વથા એક સરખો હોઈ શકતો નથી. અને તેથી જ સાધ્વીઓ ભાવાચાર્ય કે ભાવઅરિહંત પાસે રાત્રિની આવશ્યક ક્રિયાઓ ન કરી શકે છતાં સ્થાપનાનિક્ષેપસ્વરૂપ તે આચાર્ય કે અરિહંતની પાસે આવશ્યક ક્રિયા કરી શકે છે. પ્રશ્ન-પ્રતિક્રમણાદિના સમયમાં ભાવ-અરિહંત ઉપસ્થિત નથી એટલે સ્થાપનાઅરિહંતની સમક્ષ ચૈત્યવંદન કરવું એ તો ભાવઅરિહંતની આશાતના જ કહેવાય ને ? ઉત્તર - ના. જિનમંદિરમાં પણ ભાવ-અરિહંત નથી ત્યાં સ્થાપના-અરિહંત છે અને તેમની સામે ચૈત્યવંદન કરવાની શાસ્ત્રમાં સ્પષ્ટ અનુજ્ઞા છે. શાસ્ત્રમાં કહ્યું ચે કે નિશ્રાકૃત અને અનિશ્રાકૃત-એમ બે પ્રકારનાં – ચેત્યો છે. આ બે પ્રકારના ચેત્યોમાં સર્વત્ર ત્રણ સ્તુતિ બોલતાં જેટલો સમય લાગે તેટલો સમય ઊભા રહીને ચૈત્યવંદન થઈ શકે. અને જો ચેત્યો ઘણા હોય અને
SR No.008947
Book TitleVeer Madhuri Vani Tari
Original Sutra AuthorN/A
AuthorRatnasundarsuri
PublisherRatnasundarsuriji
Publication Year
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size572 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy