________________
વીર ! મધુરી વાણી તારી
પુષ્પપૂજા જ નથી. આથીસ્તો પુષ્પપૂજાને અષ્ટપુષ્પી કહી છે. આત્મા ઉપર લાગેલો આઠ કર્મનો મળ તોડી પાડવાના ઉદ્દેશથી આઠ મળોના નાશ કરવાના છે. એકેકા પુષ્પ એકેકા કર્મનો નાશ.
એટલે જ અનંતકર્મ-સ્કન્ધની એકેકી પ્રકૃતિના વિનાશની પ્રતિકરૂપ છે; આ એકેકી પુષ્પપૂજા.
૧૫૭
બેશક. આઠથી પણ અધિક પુષ્પો હોય તો કશો વાંધો નથી. એવું કાંઈ જ નથી કે અલ્પપુષ્પોની પૂજાનું અલ્પ ફળ અને બહુપુષ્પોની પૂજાનું બહુ ફળ.
ફળનું ત્રાજવું તો ભાવના કાંટે ઊંચુંનીચું થતું રહે છે. સંખ્યા સાથે તેને ઝાઝી નિસ્બત નથી.
પુષ્પપૂજાના પુષ્પો પણ દેખાવે સુંદર જોઈએ અને સુગંધિત હોવા જોઈએ. રંગ અને ગંધના આકર્ષણઓ ભાવુકાત્માના ભાવોલ્લાસને ઉછાળવાનું ઝડપી કામ કરતાં હોય છે.
જાઈ, જૂઈ, માલતી, ગુલાબ, ચંપો વગેરે આવા સુંદર પુષ્પો કહી શકાય.
અલંકારો ચડાવવા અંગે દિગંબરમત વિચાર
દિગંબરો કહે છે કે શાસ્ત્રમાં કુદરતના પુષ્પોથી પુષ્પપૂજા કરવાનું જે વિધાન કરવામાં આવ્યું છે તેનાથી એમ સમજાય છે કે સુવર્ણાદિનો પુષ્પો પરમપિતાના અંગ ઉપર ચડાવી ન શકાય.
તેઓ કહે છે કે વિચાર કરતાં આ વાત ઠીક પણ લાગે છે કેમકે કુદરતના પુષ્પો
તો એક વાર ચડાવ્યા પછી મ્લાન થઈ જવાના કારણે બીજી વાર ચડાવી શકાતા જ નથી. જ્યારે સોનાના પુષ્પો તો મ્યાન થતાં નથી એટલે ફરી વાર ચડાવવાનું પણ શક્ય બની જાય છે. એમ કરવા જતાં નિર્માલ્ય પુષ્પને ફરી ચડાવવારૂપ દોષ આવી જાય છે. આવું ન બની જાય તે માટે સુવર્ણાદિ પુષ્પોનો નિષેધ કરી દીધો હોય અને કુદરતી પુષ્પો ચડાવવાનું વિધાન કર્યું હોય તે ઠીક જ લાગે છે.
પરંતુ આ મંતવ્ય બરોબર નથી કેમકે શાસ્ત્રમાં કંચન, મોતી, રત્ન વગેરેની વિવિધ માળાઓ પ્રભુના અંગે ચડાવવાનું કહ્યું છે. પ્રશ્ન, ‘ફરી ચડાવવાના દોષ'નો છે. પરંતુ ચડાવેલી તે માળાઓ જો ઊતારવામાં જ ન આવે તો ચડેલી માળાને પરી ચડાવવા રૂપ નિર્માલ્યના આરોપણનો દોષ પણ નહિ લાગે. વળી ગુલાબ વગેરે કુદરતી પુષ્પો તો સમય જતાં દુર્ગન્ધિ થઈ જાય છે એટલે તે તો અવશ્ય ઉતારી