SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૬ વીર ! મધુરી વાણી તારી કેવું છે? તેનો આબેહૂબ ફોટો વ્યવહારના બાહ્યમાં અચૂક આવી જાય છે. જેવું મન તેવો જ પ્રાયઃ બાહ્ય વ્યવહાર હોય. જે માણસને પરમકૃપાળુ પરમપિતાની પુષ્પપૂજામાં ‘વાસી’ પુષ્પો પણ ચાલી શકે, ગંદી પુષ્પદાનીનો ય વાંધો ન હોઈ શકે એનું મન કેવું હોવું જોઈએ? આવું બધું પણ મનને ચાલી શકે છે એ મનનો જ ભાવ છે ને? તે મેલો છે કે સારો? આ રીતે મનની મલિનતા પકડાઈ જાય છે. વસ્તુતઃ વાસી પુષ્પો કે ગંદી પુષ્પદાની જેટલા ખરાબ છે તે કરતાં ચલાવી લેવાનો મનનો ભાવ ખૂબ જ ખરાબ મન મેલું રહી જાય તો દેહના સ્નાન નકામા જાય, નીતિ અને ઔદાર્ય પણ પાછા પડે. ગમે તે ચલાવી લેવાનું ભાવસ્વરૂપ અશુભમનને દૂર કરવું જ રહ્યું તે માટે વાસી પુષ્પો અને મેલી પુષ્પદાનીને પણ ટાળવી જ રહી. કાદવમાં ખૂંપી ગયેલા ડુક્કરને જોઈને અબ્રાહ્મ લિંકનના અંતરમાં દુઃખ પેદા થઈ ઘચઉં એ દુ:ખે ત્યારે જ જાય તેમ હતું જ્યારે ડુક્કરને કાદવમાં બહાર કઢાય. પોતાના મનોદુઃખને દૂર કરવા લિંકને ડુક્કરને કાદવમાંથી બહાર કાઢ્યું. ધર્મક્રિયા ગમે તેવું ચલાવી લેવાના મનોભાવને દેશવટો દેવા વાસી પુષ્પો અને મેલી પુષ્પદાનીને દેશવતો દેવો જ રહ્યો. રે! એ દેશવટો દેવો પડતો નથી. આપોપ દેશવટો દેવાઈ જાય છે. નિર્મળતા પામવાના લક્ષવાળાને એ બધું નિર્મળ રાખવાની એક સહજ આગ્રહવૃત્તિ હોય છે. બધું નિર્મળ રાખ્યા વિના મહાદેવના પૂજન એ કરી જ શકતો નથી. આ ઉપરથી આપણે સુપેરે સમજી શકીશું કે આત્માની નિર્મળતા પામવા માટે સ્નાનની દેહિક નિર્મળતા માત્ર ન ચાલી શકે. મન પણ નિર્મળ જ જોઈએ. મનની મલિનતા સાતેની દેહાદિની નિર્મળતાઓ આ વિષયમાં કદી કારગત નીવડી શકે નહિ. પરમપિતાની પુષ્પપૂજાના ફળ છે જીવનમાં શાંતિ, મૃત્યુ વખતે સમાધિ, પરલોકમાં સગતિની પરંપરા અને અંતે મુક્તિની પ્રાપ્તિ. આત્માની નિર્મળતાના લક્ષવિહોણી પુષ્પપૂજા એ વસ્તુતઃ શાસ્ત્રવિહિત
SR No.008947
Book TitleVeer Madhuri Vani Tari
Original Sutra AuthorN/A
AuthorRatnasundarsuri
PublisherRatnasundarsuriji
Publication Year
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size572 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy