________________
વીર ! મધુરી વાણી તારી
૧૫ ૫
આ સાર્વત્રિક અનુભવથી એમ જરૂર કહી શકાય કે વેપારીની નીતિ તમામ ગ્રાહકોને અપેક્ષિત છે. જે વેપારી નીતિમાન્ તરીકેનો વિશ્વાસ મેળવે છે તેનો જ વેપાર જામે છે.
આજના મોટા ભાગના વેપારીઓ પણ પૂરા અનીતિખોર હોવા છતાં એમનાં વેપારનું નાવ તો નીતિની વાતોના સઢથી જ સડસડાટ દોડયું જાય છે.
ભલે. પરંતુ અનીતિના એમનાં પાપ છૂપ્યાં છૂપતાં નથી. ગમે ત્યારે એ તૂટી પડે છે, વિદ્યુતની જેમ; અને દિન બે દિનમાં કે માસ બે માસમાં વેપારીની વૈભવ લીલાના વળતાં પાણી થઈ જાય છે.
આ ઉપરથી સ્પષ્ટ રીતે સમજાય છે કે વેપાર તો વિસ ઉપર જ ચાલે છે અને વિશ્વાસ પણ વેપારીની નીતિમત્તા અંગેનો જ હોય છે.
હવે જો કોઈ માણસ રૂપિયે એક આનો નફો મેળવવાની નીતિથી વેપાર કરે અને સદા એ નીતિને વળગતો રહે તો કેટલા લોકોનો વિશ્વાસ પામતો એ નીતિમાનું વેપારી પણ શું બાગ-બંગલાનો માલિક નથી બની શકતો? અને એવા નીતિના સહારે જીવન જીવતા લોકો સેંકડોના જીવન ઉજાળીને આશીર્વાધ નથી પામી શકતા?
એટલે એવો ય એકાંત નતી કે નીતિથી જીવનારને રોટલો ને છાશ ન મળી શકે, બેશક, તેણે અપેક્ષા તો તેટલી જ રાખવી જોઈએ.
પુષ્પપૂજાની ભવ્ય સફળતા નીતિ અને ઔદાર્યના સંલગ્ન ગુણોમાં પડેલી છે એ આપણે જોયું.
તાજા પુષ્પો
સ્વચ્છ પુષ્પદાની હજી બીજી પણ કેટલીક કાળજી આવશ્યક છે. જેમ દ્રવ્યસ્નાનથી દેહ નિર્મળ થયો, નીતિ અને ઓધાર્યથી વ્યવહાર નિર્મળ થયો તેમ પુષ્પો અને પુષ્પપૂજાનું પાત્ર પુષ્પદાની પણ નિર્મળ જોઈએ.
કરમાઈ ગયેલા પુષ્પો નિર્મળ કહેવાય. મેલું-ગંદું પાત્ર પણ નિર્મળ કહેવાય. પુષ્પો તાજા જોઈએ આગલા દિવસના ઊતરેલા વાસી થઈ ગયેલા પુષ્પો ન ચાલી શકે.
પુષ્પદાની પણ જલથી નિર્મળ કરેલી હોવી જોઈએ. અસ્વચ્છ ન ચાલી શકે. વ્યવહાર ધર્મ ‘બાહ્ય ને જૂએ છે. નિશ્ચય ધર્મ ‘બાહ્ય'ને મહત્ત્વ ન આપતાં “આંતર'ને જુએ છે. પરંતુ “આંતર'