________________
વીર ! મધુરી વાણી તારી
૧૫ ૧
ત્રીજા અષ્ટકની વિવેચના
સ્નાન કરીને દેવતાનું પૂજન કરવાનું હોય એટલે “સ્નાનનું નિરુપણ કરીને હવે દેવતા-પૂજનનું સ્વરૂપ વિચારીએ.
કેટલાકો એવું માને છે કે શ્વેતામ્બરો દેવતાનો સ્વીકાર કરીને તેમની પૂજા તો કરતા નથી તો પછી દેવાતનો સ્વીકાર કરવાનો કોઈ અર્થ જ રહેતો નથી. જો દેવતાનું પૂજન ન કરવું હોય તો દેવતાની પ્રતિમાને સ્વીકારવાનો અર્થ શો?
આ માન્યતાનો ભ્રમ તોડી નાખવા માટે પણ દેવતા-પૂજનના નિરૂપણનું અષ્ટક ખૂબ જ સાર્થક બની જશે.
શાસ્ત્રકારોએ અષ્ટપૂષ્મી પૂજા કહી છે. અષ્ટપુષ્પી એટલે ‘આઠ જ પુષ્પોવાળી' એવી પૂજા એમ અર્થ ન કરવો. દેવતાની પૂજા આપણે તેને કહી શકીએ જેમાં ઓછામાં ઓછા આઠ પુષ્પ તો સામાન્ય રીતે હોવા જ જોઈએ.
આ જ ગ્રંથકાર આગળ ઉપર કહેવાના છે કે થોડા પુષ્પોથી કે ઘણા બધા પુષ્પોથી પણ દેવતા પૂજા થઈ શકે છે. એમાં ય આઠ પુષ્પોથી દેવપૂજન કરવામાં જે હેતુ સમાયેલા છે તે આગળ ઉપર આપણે જોઈશું.
એટલે અષ્ટપુષ્પીનો નિકૃષ્ટ અર્થ તો એટલો જ થયો કે દેવતાનું પૂજન સાવ થોડા, આઠ, કે ઘણા-પુષ્પોથી કરવું જોઈએ.
આ અષ્ટપુષ્પી પૂજાના બે પ્રકાર કહ્યા છે. (૧) સાવદ્ય અષ્ટ પુષ્મી-અશુદ્ધ. (૨) અને નિરવદ્ય અષ્ટપુષ્પી – શુદ્ધ.
સાવદ્ય અષ્ટપુષ્પી પૂજા સ્વર્ગાદિસ્વરૂપ અભ્યદયને આપનારી બને છે. નિરવદ્ય અષ્ટપુષ્પી પૂજા મોક્ષ સ્વરૂપ નિઃશ્રેયસ પદને આપનારી બને છે. આમ જુદા જુદા બે ફળ આપનારી અષ્ટપુષ્પી પણ બે પ્રકારની બની જાય છે.
અથવા તો શુદ્ધ અને અશુદ્ધ એમ બે ભેદથી પણ બે પ્રકારની અષ્ટપુષ્પી પૂજા કહી શકાય.
હવે આપણે અશુદ્ધ-સ્વગ૪ ફળદાત્રી - અષ્ટપુષ્મી પૂજાનો વિગતવાર વિચાર કરીએ. અશુદ્ધ-અષ્ટપુષ્મી પૂજન-અવરૂપ નીતિ સંપન વૈભવઃ ઔદાર્ય :
જગતમાં પ્રાપ્ત થતાં પુષ્પોથી દેવાધિદેવની જે પૂજા થાય છે તે અશુદ્ધ અષ્ટપુષ્પી