________________
IL
૧૫૦
વિર ! મધુરી વાણી તારી
અહિંસા સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ, ગુરુભક્તિ, તપ અને જ્ઞાન એ આઠ ભાવપુષ્પો કહેવાય છે.
एभिर्देवाधिदेवाय वहुमानपुरस्सरा।
दीयते पालनाद्या तु सा वै शुद्धत्युदाहृता ।।७।। એ આઠ ભાવપુષ્પોના યર્થાથ પાલન દ્વાર જ દેવાધિદેવની બહુમાનપૂર્વક જે પૂજા થાય છે, તે શુદ્ધ પૂજા કહેવાય છે.
प्रशस्तो ह्यनया भावस्तत: कर्मक्षयो ध्रुवः ।
कर्मक्षयाच्च निर्वाणमतएषा सतां मता ।।८।। એ શુદ્ધ પૂજાથી ભાવ-આત્મપરિણામ-શુદ્ધ થાય છે, તે શુદ્ધ ભાવથી કર્મક્ષય અવશ્યભાવી બને છે અને કર્મક્ષયથી મોક્ષ મળે છે, તેથી સત્પરુષોને ભાવપૂજાશુદ્ધ પૂજા-માન્ય છે.