SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ વીર ! મધુરી વાણી તારી ૧૪૩ મહાત્મા નાગકેતુની વાત નથી જાણતા? સ્થાપનાનિપેક્ષાસ્વરૂપ ભગવાનની જ ભક્તિના રંગે ચડયા હતા ને ૪ અને એ ભાવના ભુક્કા બોલાવી દે એવી કસોટી આવી કાતિલ સર્પદંશની .છતાં ય વાર ઊતરી ગયા રે! ક્ષપકશેણિએ ચડ્યા અને કેવળજ્ઞાન પામ્યા! જિનપડિમા જિનસારીખી' એ સૂત્રને હવે તો કબૂલો. છતાં ન જ કબૂલવું હોય તો તો હવે વધુ કાંઈ જ કહેવું નથી. સ્થાપનાનિપાની પૂજ્યતાને અવગણી શકાય તેમ નથી. આવી અવગણના કરીને સ્તાનકવાસી બંધુઓએ દેવતત્ત્વની આરાધનાનું જબ્બર આલંબન ખોયું. દિગંબરોએ ગુરૂ ખોઈને, અને તેરાપંથીએ દયાદાનનો ધર્મ ખોઈને સઘળું ગુમાવ્યું. છતાં એમની આંખો ન ખૂલે તો બીજા શું કરે! ભાવસ્નાન સ્વરૂપ : દ્રવ્યનાનમાં નદી કૂવા વગેરેના જળની જરૂર પડે છે; જ્યારે ભાવનાનમાં તો શુભચિત્તના ધર્મધ્યાનાદિ સ્વરૂપ જળની જરૂર પડે છે. ચિત્તના શુભ અધ્યવસાયો એ જ ભાવસ્નાનનું જળ છે. એનાથી આત્મા ઉપર લાગેલા જ્ઞાનાવરણીયાદિ કર્મમળો ધોવાઈને નાશ પામે છે. આત્માના સ્વરૂપને મલિન કરનાર આ કર્મમળ જ છે. વીતરાગસ્વરૂપ આત્મામાં રાગાદિભાવોની મલિનતા કર્મમળથી પેસે છે અને રાગાદિભાવોની મલિનતા એ કર્મમળોને વધારે છે. બે ય એક બીજાના પૂરક બની રહ્યા છે. જો રાગાદિ છે ોત કર્મમળો ખેંચવાના જ. જો કર્મમળ છે તો પ્રાયઃ રાગાદિ ખેંચાવાના જ. શક્તિ અને શોણિતના જેવો આ બેનો પરસ્પરનો સંબંધ છે. શરીરમાં શક્તિ ન હોય તો શોણિત (લોહી) ન વધે, શોણિત ન હોય તો શક્તિ ન વધે. રાગાદિ મળ અને કર્મમળની એકબીજાની પૂરકતા તો વૈદ્ય ગાંધીના સહિયારા જેવી છે. બેમાંથી એકનું-રાગાદિનું અસ્તિત્વ નાબૂદ કરવું જ રહ્યું. પછી કર્મમળો આત્મા ઉપર ઝાઝું રહી શકે તેમ નથી. પણ બે વચ્ચે ઘનિષ્ટ સંબંધ ઉપર કુહાડો મારવાનું કામ ખૂબ જ મુશ્કેલ છે. કુહાડાનો ઘા લાગતાં જ સંસાર પર્યાય મરવા લાગે છે. એક ભરી પાસે આપોઆપ બંધ થઈ જતું તાળું છે. તે ભાઈ ઉતાવળમાં ચાવી
SR No.008947
Book TitleVeer Madhuri Vani Tari
Original Sutra AuthorN/A
AuthorRatnasundarsuri
PublisherRatnasundarsuriji
Publication Year
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size572 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy