________________
વીર ! મધુરી વાણી તારી
૧૪૧
લક્ષ બનાવીને ઉડાડી દે.
કેવું અહિંસક યુદ્ધ! હજી ગૃહસ્થજીવનની રાગદશામાં છે નેમનાથ! નથી થયા વીતરાગ! છતાં વીતરાગના જેવી કેવી વિરાગભરી અહિંસક યુદ્ધનીતિ!
યુદ્ધ ખેલવાની ફરજ આવી ત્યારે ગીતામાં કહ્યા મુજબ કૃષ્ણ અર્જુનને યુદ્ધ ખેલી દ્રોણાચાર્ય વગેરે ગુરુવર્ગની હત્યાનો ઉપદેશ પ્યો અને અહીં ફરજ આવી પડી છતાં અહિંસક યુદ્ધ ખેલાયું. વિરાગીની પણ આ કેવી અદ્ભુત યુદ્ધકળા! યુદ્ધ કરવાં છતા સાવ જ અહિંસક યુદ્ધ! યુદ્ધમાં પણ અહિંસા !
અફસોસ! આજે તો વિશ્વશાંતિની વાતો પાછળ કરોડો માનવોની હિંસા કરી નાંખવાની યોજનાઓ તૈયાર થયેલી છે!
કૃષ્ણ વાસુદેવે અઠમની સાધના કરીને મૂર્તિને મેળવી ભાવભરી અષ્ટ પ્રકારની પૂજા કરી. પ્રક્ષાલ જલ લઈને યુદ્ધભૂમિ ઉપર વ્યા. મૂચ્છિત સૈન્ય ઉપર એ જલનો છંટકાવ કર્યો અને તરત આળસ મરડીને દરેક યોદ્ધો ઊભો થઈ ગયો!
આપણે અહીં એ જ વિચારવાનું છે કે કુમાર નેમનાથ એ વખતે દ્રવ્યતીર્થકરની અવસ્થામાં હતા છતાં એમણે જ સ્થાપના નિક્ષેપસ્વરૂપ ભાવી તીર્થકરની અવસ્થામાં હતા છતાં એમણે જ સ્થાપના નિક્ષેપસ્વરૂપ ભાવી તીર્થંકર પાર્શ્વનાથ પ્રભુની મૂર્તિના પ્રક્ષાલ જલને લાવવાનું કહ્યું!
શું આથી સ્થાપનાનિશે પાની મહત્તા સ્થિર થઈ જાય તેવું નથી? બીજો પણ એક પ્રસંગ લઈએ.
મહારાજા કૃણિકની રાણી પદ્માવતી હતી. કુણિકના પિતા શ્રેણિકે હલ્લ વિહલ્લને નવસેરો હાર અને સેચનક હાથી વગેરે ભેટ આપ્યાથી તેમની ભાબી પદ્માવતીને ઈર્ષા થઈ. પોતાના પતિ કુણિકને પાણી ચડાવ્યું અને નાના ભાઈ હલ્લ-વિહલ્લા પાસેથી તે વસ્તુ મેળવી લેવા મોકલ્યા.
ભાઈઓએ કહ્યું, “પિતાએ આપેલી ચીજ તમને કેપ આપીએ? નહિ મળે.”
આમ કહીને સ્વરક્ષા માટે બે ય ભાઈઓ પોતાના મામા ચેડરાજાનો આશ્રય લેવા ચાલ્યા ગયા.
રાજા કુણિક, રાજા ચેટક સામે યુદ્ધ ચડયો. ખુનખાર યુદ્ધ થયું. એક કરોડ એંસી લાખ માનવોનો બે ય પક્ષે થઈને સંહાર થઈ ગયો.
તો ય રાજા કુણિક રાજા ચેટક ઉપર વિજય મેળવી ન શક્યો. ત્યાં તેને ખબર