________________
૧૪૦
વીર ! મધુરી વાણી તારી
ન જ માનવાનો આગ્રહ રાખવામાં આવે તો તે ખૂબ જ ખેદજનક બીના છે.
અરે! કેટલીક વાર તો બીજા કોઈ નિપાના પરમાત્મા વિદ્યમાન હોવા છતાં સ્થાપનાનિક્ષેપો વધુ બળવાન બની જાય છે. ૧
જરાસંઘની સામે કૃષ્ણ વાસુદેવ યુદ્ધે ચડ્યા હતા. બે યના લશ્કરો સામસામાં ગોઠવાઈ ગયા હતા. ખુનખાર યુદ્ધ શરૂ થયું. તક જોઈને જરાસંઘે જરા નામની વિદ્યાનું સંધાન કર્યું.... તરત જ એના પ્રભાવે કૃષ્ણનું સમગ્ર સૈન્ય મૂચ્છિત થઈને ધરતી ઉપર ઢળી પડયું.
કૃષ્ણવાસુદેવ ગભરાઈ ગયા. બાવીસમા તીર્થકર ભગવાન નેમનાથનો આત્મા હજી “કુમાર” અવસ્થાના ગૃહસ્થજીવનમાં હતો. એ દ્રવ્યનિકેપસ્વરૂપ તીર્થકર કુમાર નેમનાથી પાસે જઈને કૃષ્ણ સઘળી વાત કરી અને આપત્તિમાંથી ઉગારવા માટેની સલાહ માંગી.
કુમાર નેમનાથે કહ્યું, “તમે અઠમનો તપ કરીને દેવતાને પ્રસન્ન કરો. દેવલોકમાં રહેલી ભાવીતીર્થકર ભગવાન પાર્શ્વનાથની પ્રગટ પ્રભાવી મૂર્તિ પ્રાપ્ત કરો અને તેની પ્રક્ષાલપૂજા કરો. એ પૂજાનું હવણ લઈને તમારા સૈન્ય ઉપર છાંટશો તો મૂર્છા ઊતરી જશે.”
કૃષ્ણ એક પ્રશ્ન ઊભો કર્યો કે અઠમતપના આરાધનના ત્રણ દિવસો સુધી મૂચ્છિત સેનાનું રક્ષણ કોણ કરશે? મૂચ્છિત સેનાને મારી નાંખતા જરાસંઘને કેટલી વાર?
કુમાર નેમનાથે તે જવાબદારી પોતાના શિરે લીધી. કૃષ્ણ અઠ્ઠમતપનું આરાધન કરવા ગુફામાં ગયા. કુમાર નેમનાથ યુદ્ધભૂમિ ઉપર આવ્યા.
જગતના સર્વજીવોની માતા યુદ્ધભૂમિએ આવીને સ્વહસ્તે બાળકોની હત્યા કરે એ બને? જરાસંઘ શત્રુ તો કૃષ્ણ વાસુદેવનો! કુમાર નેમનાથનો તો એ ય મિત્ર! અને એ ય ભાઈ? જેવો કૃષ્ણવાસુદેવ!
કુમાર નેમનાથ યુદ્ધભૂમિએ આવ્યાનું જાણીને દેવેન્દ્ર ચમકયો. પોતાનો રથ લઈને તરત સેવામાં હાજર થયો. - કુમારે એ રથને વાસુદેવના સૈન્યની ચોમેર ગગન મંડળમાં ભયંકર વેગથી ઘુમાવવાનું ઈન્દ્રને સૂચન કર્યું. ઈન્દ્ર તે સૂચનાનો અમલ કર્યો. શત્રુસેનાના શસ્ત્રો ઘૂમતા રથને ટકરાઈને તૂટી પડવા લાગ્યા. કુમાર નેમનાતે જોરદાર તીરંદાજી ચલાવી પણ તે એવી કે જરાસંઘનો એક પણ સૈનિક ન મરે. માત્ર રાજાઓના મુગટોને જ