________________ 136 વીર ! મધુરી વાણી તારી સ્થાપના નિક્ષેપાના ભગવંતની સામે તીર્થયાત્રા નીકળી શકે. ગામગામમાં ધર્મની અપૂર્વ પ્રભાવનાઓ થઈ શકે. એમના અંગે ભારે અલંકારો ચડાવીને મોહના રવાડે ચડતી સંપત્તિનો સદ્વય થઈ શકે. સંપત્તિની મૂચ્છ ઉતારવાનું તો આ અમોઘ આલંબન! પ્રિયની પ્રતિમાને વીસરવા માટેનો આ અપૂર્વ કીમિયો! વિશુદ્ધ ભાવનાઓનું તો આના દર્શનના વિચારમાત્રથી ઉત્પાદન શરૂ થાય. અત્યંત ખેદની વાત છે કે વા સ્થાપનાનિક્ષેપને માત્ર સ્થાપનાનિષેપ તરીકે મૂર્તિ તરીકે માનવા આજે કેટલાક તૈયાર છે પરંતુ પૂજ્ય માનવા તૈયાર નથી. આવા લોકો કોટના દરેક બટનમાં પોતાની પ્રિયતમાની મૂર્તિઓ ગોઠવે છે, કેલેન્ડરમાં પોતાની પ્રિયસિને-તારિકાની મૂર્તિ સ્થાપે છે. લગ્ન સમયે વર-વધૂ ભેગા રહીને ફોટો પડાવી લે છે. અને શયનખંડના પ્રવેશ દ્વાર ઉપર ટિંગાડે છે. મૂર્તિપૂજાને ધિક્કારતો રાષ્ટ્રપ્રેમી ગાંધી, નહેરુ અને સુભાષના ફોટા ઘરમાં ગોઠવ્યા વિના જંપતો નથી; પ્રજાસત્તાક દિને ધ્વજવંદનમાં હાજરી આપીને ધ્વજને અદબભરી સલામ અર્પે છે. (ધ્વજ એ પણ મૂર્તિ (આકાર) નથી શું?) મોહભર્યા સંસારનું સમગ્ર વર્તુળ મૂર્તિઓથી ખીચોખીચ ભરી દેનાર માણસ જ્યારે મંદિરની મૂર્તિની પૂજ્યતાનો ઈન્કાર કરે છે ત્યારે આશ્ચર્યની અવધિ આવી જાય છે. આવા મતની મમતવાળો અનુયાયીવર્ગ પણ મંદિરની મૂર્તિને વંદન પૂજન નહિ કરવાની પ્રતિજ્ઞાઓ આપે છે અને એ જ લોકો પાછા પોતાના પુસ્તકોમાં પોતાની ચિત્ર મૂર્તિની શ્રેષ્ઠ સ્થાપના કરાવે છે ! એની પાછળ થતી ફોટોગ્રાફીની પાણી અગ્નિ વગેરેની હિંસા સાથે એમને કોી જ આભડછેટ નહિ હોય? આટલું કરીને ય આ લોકો કહે છે કે મૂર્તિને તો અમે માનીએ જ છીએ માત્ર પૂજ્ય ભગવાન તરીકે માનતા નથી? કેવી વાત?... છતાં ભલે તેમ માની લઈએ. એવી વાતો કરનાર રાષ્ટ્રપ્રેમીની સામે જ કોઈક ગાંધીજીના બાવલા ઉપર ધૂકે તો? ત્રિરંગી ધ્વજને બાળી નાંખે તો? એવી વાતો કરનાર કોઈ પ્રેમીની પ્રિયતમાના ફોટાને કોઈ લાત મારે તો? તે વખતે શક્તિ હોય તો આંખો લાલપીળી થયા વિના રહે ખરી? એને પૂજ્ય