________________ IL 128 વીર ! મધુરી વાણી તારી કરે જ છે માટે તેને થોડું વધુ કરવાનો ય અધિકાર! અરે! ગૃહસ્થ પાપના સંસારમાં ભલે પાપો કરતો રહે પણ ધર્મના કાર્યમાં તો તેનાથી પાપ કેમ જ થાય? એક પાપ કર્યું એટલે શું બીજું પણ પાપ કરવાનો અધિકાર પ્રાપ્ત થઈ જાય? એક વાર શીલવતી સ્ત્રીએ શિયળનું ખંડન કરી દીધું તેથી તેને હવે બીજી વાર પણ તેમ કરવાની છૂટ મળી જાય? એક વાર ઝેર ખાનારને બીજી વાર પણ ઝેર ખાવામાં કોઈ અપરાધ નહિ! એક વાર વ્રતભંગ કરી દેનાર સાધુ બીજી વાર પણ વ્રતભંગ કરી શકે? આનો અર્થ તો એ થયો કે ધર્મ કરનારાએ જ કદી પાપ ન કરવું કરે તો ગુન્હેગાર. પાપ કરનારાને ફરી પાપ કરવાની છૂટ એમાં કોઈ ગુન્હો નહિ. ગજબની યુક્તિ લડાવી ભાઈ! ઉત્તર પક્ષ-પૂર્વે કુવાનું જે દૃષ્ટાંત આપ્યું - તે દૃષ્ટાંતથી એમ સમજાવવાનું આવ્યું છે કે સ્નાનાદિ કરતાં ગૃહસ્થને જે પાપ દોષ લાગે છે તે પાપદોષ બાવપૂજાના વિશિષ્ટ ભાવના ગુણની પ્રાપ્તિ થતાં ધોવાઈ જાય છે. એટલે જિનપૂજા નિમિત્તક સાવદ્યકર્મ નિરનુબંધ હોઈને નષ્ટ જ થઈ જાય છે. ગૃહસ્થનો આત્મા તો વધુ આત્મશુદ્ધિ જ પામે છે. પૂ. પક્ષ-તો પછી આ રીતે વધુ આત્મશુદ્ધિ યતિને પણ પામવા દો ને? એમને ય જિનપૂજા માટે સ્નાનાદિનો અધિકાર કેમ નથી આપ્યો? ઉત્તર પક્ષ - ખરી વાત એ છે કે યતિ, સર્વસાવદ્ય વ્યાપારથી નિવૃત્ત થઈ ગયા છે. હવે કુપોદાહરણને આગળ કરીને વિશિષ્ટ આત્મશુદ્ધિ માટેની જિનપૂજા કાજે સ્નાનાદિ કરવા દેવામાં આવે તો તેનાથી તેઓ વિશિષ્ટ આત્મશુદ્ધિ પામી શકનાર નથી. એનું કારણ એ છે કે સ્નાનાદિ કરતાં જે જીવહિંસા થાય છે એ જ એમની નજરમાં આવ્યા કરવાની છે. જેમણે જીવનભર સચિત્ત જલનો સ્પર્શ પણ ત્યાગી દેવાનો ભાવ, સ્વભાવ જેવો બનાવી દીધો છે અને તેથી જ સચિત્ત જલનો છાંટો પણ શરીરને અડી જતાં ઝબકી ઊઠે છે એ યતિ લોટી ભરીને સચિત્ત જલ સ્પર્શ થતાં ઝબકી ઊઠે છે એ યતિ લોટી ભરીને સચિત્ત જલ જો પોતાના માથે નાંખશે તો તેને ત્રાસ જ થશે. અને પોતે પાપ કરી રહ્યો છે એવું જ સંવેદન થયા કરશે. શુભ ધ્યાનાદિથી સદા નિષ્પાપ