________________
વીર ! મધુરી વાણી તારી
આ દૃષ્ટાંત ઉપરથી એટલું જ કહેવું છે કે ધનોપાર્જનની પ્રવૃત્તિ સામાન્યતઃ ભલે અશુભ ગણાતી હોય છતાં સર્વથા અને સર્વદા તે પ્રવૃત્તિ અશુભ ન કહી શકાય. ન્યાયાદિયુક્ત વૈભવપ્રાપ્તિ હોય, ઉક્ત સદાશય પૂર્વકની હોય તો તે સર્વથા અશુભભાવ સ્વરૂપ ન જ કહેવાય. જો તેમ જ હોત તો સંકાશ શ્રાવક તે પ્રવૃત્તિથી નિર્જરા કરતો કરતો નિર્વાણપદ શી રીતે પામી શકત?
૧૨૪
આ જ રીતે જિનપૂજા પણ દેખીતી રીતે જીવહિંસાની પ્રવૃત્તિને કારણે સાવદ્ય લાગે છે પરંતુ એ જિનપૂજા પાછળ પ્રાર્થના સૂત્રોક્ત ભવનિર્વેદ વગે૨ પામવાનો પૂજકનો જે અત્યંત શુભ આશય છે તેને કારણે તે જિનપૂજા તેના માટે અત્યંત ઉપાદેય બની જાય છે.
મોક્ષાશય વિનાની જિનપૂજા હેય કહી શકાય :
હા. જે પૂજકોને ભવનિર્વેદ પામવાની ભાવના જ નથી, કોઈ સાંસારિક સમૃદ્ધિ પામવા માટે જ જેઓ જિનપૂજાદિ કરે છે તેમની જિનપૂજા બેશક સાવદ્ય જ છે તેનો કોઈ જ અર્થ નથી.
એ જિનપૂજા તો રૂપિયા એક કરોડની રકમ ભરેલો એવો ચેક છે જેની નીચે ભવનિર્વેદપ્રાપ્તિની સહી જ કરવામાં આવી નથી.
શા મૂલ્ય એ ચેકના? એ તો બે પૈસાના ભોગસુખો મળી જાય તેવું કાગળિયું જકહેવાય ને ? જિનપૂજા પણ ભવનિર્વેદના ઉત્તમ ભાવ વિનાની હોય તો તેની બધી હિંસા અવશ્ય માતે પડે એ વાત કદી વીસરવી નહિ.
મુક્તિના એક માત્ર શુભાશય પૂર્વકની જ મુક્તની પૂજા હોવા જોઈ એવી જ પૂજાની આપણે ઉપાદેયતા સ્થિર કરી રહ્યા છીએ.
પૂર્વે એક એવી વાત કરવામાં આવી હતી કે આ જ ગ્રંથમાં આગળ જતાં એમ કહેવામાં આવના૨ છે કે, ‘પુષ્પો તોડવા નહિ અને બગીચો બનાવવો નહિ.’’ આ પાઠથી સાબિત થાય છે કે પુષ્પાદિના જીવોની હિંસાવાળી જિનપૂજા થઈ શકે નહિ.
અહીં આપણે આ વાતનો ખુલાસો કરી લઈએ. તે સ્થાને ‘શુદ્ધામૈર્યથાનામમ્’ એવો જે પાઠ છે તેનો ‘સ્વયં પુષ્પો તોડવા નહિ’ એવો અર્થ થતો નથી, યથાલાભ શબ્દથી એમ કહેવામાં આવ્યું નથી કે તોડયા વિના જ જેવા મળે તેવા પુષ્પ લેવા ?.... ના.... નહિ જ. ત્યાં ‘યથાલાભ’ શબ્દથી એમ કહેવું છે કે પજા કરવા જિનમંદિરે આવનાર પૂજકે માળી જે ભાવે પુષ્પો આપે તે ભાવે લઈ લેવા. તેમાં આનાકાની કરવાની-વાણિયાની સહજ ટેવને ઉપયોગ ન કરવો. જો તે માળી સાથે પૂજક