SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ | | _ ૧૨૨ વીર ! મધુરી વાણી તારી જેને સોનું વેચીને રોકડા પૈસા ઊભા કરવા છે તે સોનીને ત્યાં જઈને સોનાની લગડીને કસોટી ઉપર ઘચરકો મારવા નથી આપતો શું? મોટો ખાડો કૂદી જવા પ્રથ તો પીછેહઠ જ કરવી પડે છેને? શરીરમાં લોહીનો ભરાવો કરવામાં નડતરરૂપ બનતાં પેટના સડતરને કાઢી નાંખતો ડૉક્ટર કેટલું લોહી વહી જવા દે છે? શું તેથી તે નિર્દય કહેવાય છે કે દયાળું? ધીરેલા પચાસ હજાર પાછા મેળવવા વેપારીઓ બીજા પાંચ હજાર નથી ધીરતા? શું તેથી તે મૂર્ખ કહેવાય છે? રૂખ મળતાં લાખ કમાઈ લેવાની ભાવનાથી ચાર્ટર્ડ પ્લેઈનમાં એક હજાર ખર્ચા નાંખીને અમદાવાદથી મુંબઈ જવા પ્લેઈનમાં ઊડતો સટોડીઓ ખૂબ જ સમયજ્ઞ ગણાય છે હોં! રે! અભણ ખેડૂતને ય આટલી વાતની તો ખબર છે. માટે સ્તો સારામાં સારું બીજકણ જમીનમાં નાંખી દે ચે. અને પછી કેટલાક મહિને પૂછે વળ દેતા હાજરો મણ બીના ઢગલે ઢગલાં જોતો ગૌરવથી છાતી પુલાવે છે! શું આ બધા મરોલી હોસ્પિટલના મેમ્બરો તો નથી ગણાતા ને? દેખીતી રીતે ખોનારા, ખર્ચનારા, ખાઈ જનારા, નુકશાન ભોગવનારા લાગવા છતાં લોકો તો એમને માનચાંદની નવાજેશી કરે છે! કેમકે એબધા ય ને દૂરદૂરના ભાવી અંતરીક્ષના દીર્ઘદૃષ્ટા ગણવામાં આવ્યા છે. અલ્પતમ જીવહિંસમાં આ નફા-તોટાનનો વિચાર જ નથી કરવો? સર્વદા, સર્વથા અહિંસક બનાવતી જીવહિંસાને ય હિંસા કહીને જ વગોવવી છે? રંગબેરંગી પુષ્પોના ઠાઠ ઠઠારાવાળી પરમાત્માની અંગરચનાના દર્શનની સુરંગોથી અશુભભાવોની પથ્થરાળ ભેખડો તૂટી પડતી હોય, અને શુભના જળની સેરો ઉછળતી પડતી હોય, સંસારના ઘોર હિંસાના પરિણામો ત્યાં ધોવાઈ ધોવાઈને સાફ થતાં હોય.. ત્મા ષકાયની સર્વહિંસાથી મુક્ત થઈને છેવટે પરમપદ પામીને સર્વજીવોને સંપૂર્ણ અભયદાન દેતો હોય તો ય... તો ય તે નાનકડી-જયણા પૂર્વકની જલ પુષ્પ વગેરેની જીવહિંસા નામંજૂર! નામંજૂર જ! ભલે, કદાગ્રહીને સમજાવાવનો ઈજારો લેનાર મૂર્ખ કહેવાય છે. એની જમાતમાં
SR No.008947
Book TitleVeer Madhuri Vani Tari
Original Sutra AuthorN/A
AuthorRatnasundarsuri
PublisherRatnasundarsuriji
Publication Year
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size572 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy