SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ વીર ! મધુરી વાણી તારી ૧ ૨ ૧ પણ ઓછા છે! ચાલીસ કરોડના પિતાના બાવલા માટે સવા લાખ! તો અનંત જીવોના પરમપિતાની મૂર્તિ માટે સવા કરોડ પણ ઓછા છે! પ્રિયતમાના અલંકારો પાછળ પાંચ લાખ ખર્ચે છે આજનો વહુ ઘેલો શ્રીમંત નબીરો ! તો જગતમાત્રના પ્રિયતમ પરમાત્મા માટેના અલંકારો પાછલ પચાસ લાખ રૂપિયા પણ કશી ગણતરીમાં ન મુકાય! જો જગતને અશુભથી ઉગારવાની સંતોને તીવ્ર તમન્ના હોય તો તેમણે આવા ઉપદેશ આપવા જ રહ્યા. મોહાન્ય જગતની ગાળો ખાઈને પણ ઉપદેશદાનનનાકાર્ય અવિરત ગતિએ ધમધમાવવા જ રહ્યા. મોહને પુષ્ટ બનાવે તેવી દુનિયાની કોઈ પણ ઈંટ-ઈમારતના ચણતરને જોઈ ને સંતોની દુનિયા “પૈસાના ધુમાડાનું સાધન' જ કહેશે. મોહાલ્વ આત્માઓ મોહવિજેતાની ઈંટ-ઈમારતો જોઈને ય એમ જ કહેશે. પણ તેથી અકળાઈ જવાની કશી જરૂર નથી. જગત જેને “પાગલ' કહે એ જ આ જ જગતનો સાચો સંત કહેવાશે. પાગલ જગતના સારા શિરપાવ પામતો સંત વસ્તુતઃ સંત જ નથી. અસ્તુ. આપણે તો અહીં એટલી જ વાત કરવી છે કે જો જગતના જીવોના મોહના સંસ્કારોને ખતમ કરવા માટે તેમના અંતરમાં શુભભાવની જરૂર દેખાતી હોય તો તે માટે જિનપૂજાદિ પ્રવૃત્તિમાં તેમને વહેલી તકે જોડી દેવા પડશે. તેમાં થતી જીવહિંસા, આશયશુદ્ધિના કારણે અનુબંધમાં તો અહિંસા જ છે માટે જીવહિંસામાત્રને આગળ કરીને શુભભાવની વૃદ્ધિને ખૂબ જ પ્રબળ કારણ દૂર હડસેલી મુકાય નહિ. ગૌરવ લાઘવની વાત કરોત જિનધર્મ - વણિગ્ધર્મઃ - જિનધર્મ કુનેહભરી – વણાઇગ્નીતિથી આત્મવિકાસ સાધવામાં માને છે. પ્રારંભિક દશામાં રહેલા આત્માને જ્યાં “અલ્પ નુકશાન અને અધિક લાભ” ત્યાં જિનનો ધર્મ. ભલે થોડું ખોવું પડે પણ તેથી જો વધુ મળતું હોય તો થોડું ખોવામાં જરા ય વાંધો નહિ એ વખતે વિચાર કરવા બેસી રહેનાર વધુ મેળવવાથી વંચિત રહી જાય
SR No.008947
Book TitleVeer Madhuri Vani Tari
Original Sutra AuthorN/A
AuthorRatnasundarsuri
PublisherRatnasundarsuriji
Publication Year
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size572 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy