________________
IL
૧૨૦
વીર મધુરી વાણી તારી
નહિ?
સંસ્કારી આત્માની કાળી ચામડી કરતાં જો અસંસ્કારી આત્માની સફેદ ચામડી જ મોહક બનીને આજના જગતને ઘેલું બનાવી દેવામાં ધરાર સફળ બની જતી હોય તો એ જગતમાં નિરાકારના ભજનિયાંની વાતો ખરેખર ભાવુક આત્માઓની રખડાવી મારવાની માત્ર આદર્શની વાતો કહેવાય.
મુંબઈવાસીઓને જરા પૂછી આવો કે સંગમ ચિત્ર લેમિંગ્ટન-ટોકિઝમાં જોવા મળે અને અપ્સરા ટોકિઝમાં જોવા મળે તો તે બેમાં કશોક ફેર પડે કે નહિ?
મદ્રાસી હોટલના ઈટલી ઢોસા કરતાં અશોક હોટલના ઈટલી ઢોસામાં કશોક ફક ખરો કે નહિ?
ઘરની કૉફી પીવા કરતાં માયસોર કાફેની કૉફીની લહેજતમાં કશોક ફરક ખરો કે નહિ?
રે! લોકોને હવે નથી ભાવતા ઘરના ભોજનો, નથી ગમતા ઘરના સિનેમા, નથી ગમતી ગામડાની વહુ.. સહુ દોડયા જાય છેં આકર્ષણના વંટોળમાં.. હોટલોમાં, લીબર્ટીમાં અને અભિનેત્રીના દર્શનમાં!
સાકારની અને આકર્ષણના ઠઠારાની જ ઉપાસનામાં રાચતામાચતા આ જગતના અશુભભાવોના વમન કરવા હશે તો શુભ ભાવના પેય પીવડાવવા જ ૨હ્યા.
જેને શુભમાં જવું નથી, જવાની ઈચ્છા નથી, અરે! જવાનું સ્વપ્ન પણ નથી.. એને તમારે શુભમાં મોકલવાનો છે જો એવા જ – એથી ય અધિક સાકાર આકર્ષણના ઠાઠ નહિ ઊભા કરો તો આંખમીંચીને અશુભમાં ધસ્યા જતાં જગતને કોી જ ઉગારી શકનાર નથી. મોહના સાધનો માટે શું છે! મોહ વિજેતા બનવાના સાધનો માટે શું જોઈએ?
દસ કરોડ રૂપિયાના ખર્ચે અપ્સરા ટોકિઝ થતું હોય તો બાર કરોડ રૂપિયાના ખર્ચે પણ તમારે જિનમંદિર ઊભા કરવા જ રહ્યા. - સવા લાખ રૂપિયા ખર્ચીને મહાત્મા ગાંધીનું બાવલું-અત્યંત દર્શનીય-બનવાતું હોય તો સવા કરોડના ખર્ચે જિનપ્રતિમાના નિર્માણ કરવા જ રહ્યા.
મોહના નાટકો બતાડવા પાછળ બે કરોડ! તો મોહવિજેતા બની જવા માટે જાતે જ ધર્મ શુક્લ ધ્યાનના દોરડે આરૂઢ થવાનો ખેલ કરવાના મંદિરમાં બાર કરોડ