SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ વીર ! મધુરી વાણી તારી ૧૧૫ રીતે જો પરમાત્માના ભાવમાં એ ઘેલો બનશે તો પ્રિયતમાની વેણીના ફુલ નાંખીને બાંધેલા કાળાં કર્મોને પણ બાળીને ખાખ કરી નાંખશે! રે! એના સમગ્ર સંસાર પર્યાયના સર્વકર્મોનો એ નાશ કરી દેશે! જેની જેવી ટેવ આનંદ પામવાની તેની તેવી ટેવને ઉપયોગમાં લઈને વિશુદ્ધ આનંદ કેમ ન પમાડી દેવો? વિહારાદિ ધર્મપ્રવૃત્તિમાં શું જીવહિંસા નથી? પણ એવું કહેનારા સામે માત્ર પ્રશ્ન રહે છે જીવહિંસાનો જ ને? તો એક પ્રશ્ન થાય છે કે શું વ્યાખ્યાનની પ્રવૃત્તિમાં જીવહિંસા નથી? શું સાધુને નદી ઉતરવામાં જીવહિંસા નથી? ગૃહસ્થો “સ્થાનક બનાવે તેમાં તેમને જીવહિંસા નથી? સાધુઓના સામૈયા કરે, કે મૃતસાધુની સ્મશાનયાત્રા કાઢે તેમાં જીવહિંસા થતી નથી? હજારો માણસોના પગ નીચે કીડી મંકોડા વગેરે કેટલા જીવો કચરાઈ જતા હશે! રે! એવો એક ધર્મ તો બતાડો જેમાં કોી જાતની જીવહિંસા જ ન હોય! પછી તો બધા સાધુઓ ખા-પાનાદિનો નવકલ્પી વિહારનો અને ઉપદેશદાનનો પણ ધર્મ જીવહિંસાવાળો હોવાથી ત્યાગી દે અને શ્વાસોચ્છવાસ પણ લીધા વિના સર્વથા લાકડા જેવા થઈને નિશ્ચન્ટ બેસી જાય તો જ કામ આવે. શું આ વાત કોઈને પણ સ્વીકાર્ય છે! જિનપૂજાનિષેધ કરતા સ્તાનકવાસીઓ દયાદાનમાં પાપ માનનારા તેરાપંતીઓની સામે પડયા છે. તેરાપંથીઓ પણ જિનપૂજાને તો નથી જ માનતા પરંતુ એવા કોઈ પણ પદયાદિના કાર્યને નથી માનતા જેમાં હિંસા થતી હોય. ગાયને ઘાસ ખવડાવવામાં તેઓ જ પાપ માને છે કેમકે ગાયની દયા કરવા જતાં વનસ્પતિકાયની હિંસા થાય છે. આગમાંથી માણસને બચાવવા જતાં આગમને બુઝાવવા જતાં આગ-પાણી વગેરેના જીવોની હિંસા થાય છે. જિનપૂજાને માનનારા શ્વેતામ્બરો તો આ તેરાપંથીઓને જડબાતોડ જવાબો આપી શકે છે. પરંતુ હિંસાને કારણે જિનપૂજાનું ખંડન કરનાર સ્થાનકવાસીઓ, તેરાપંથીઓના “સાવદ્ય દયા એ પાપ છે' એ વિધાનનો રદિયો શી રીતે આપી શકશે? આ વિધાનનો ઉત્તર વાળવા માટે જે તક એમને લગાવવાનો રહેશ એ જ તો જિનપૂજામાં કેમ નહિ લાગે?
SR No.008947
Book TitleVeer Madhuri Vani Tari
Original Sutra AuthorN/A
AuthorRatnasundarsuri
PublisherRatnasundarsuriji
Publication Year
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size572 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy