SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૪ દ્રવ્યસ્નાન : ભાવસ્નાન : અષ્ટક ઃ ૨ શ્લોક ૧ જેઓ મહાદેવનું પદ પામ્યા તે પરમાત્માનાં પૂજન વગેરે કરવા જોઈએ. આ પૂજન સ્નાન વિના સંભવે નહિ. એટલે હવે ‘સ્નાન’ ઉપર વિચાર કરીએ. સ્નાન પ્રકારના છે. દ્રવ્યસ્નાનના પ્રકારો : વીર ! મધુરી વાણી તારી વિવેચના પુદ્ગલ-દ્રવ્યને અનુલક્ષીને કરાતું સ્નાન દ્રવ્યસ્નાન કહેવાય. દ્રવ્યસ્નાનની ક્રિયા દ્રવ્યની સાથે સંબંધ ધરાવે છે. એટલે કે દ્રવ્યસ્નાનની ક્રિયા ત્રણ દ્રવ્યને આશ્રયીને થાય છે. (૧) જળ (૨) દેહ (૩) મેલ. પાણી-દ્રવ્યથી સ્નાન થાય, દેહ-દ્રવ્યની શુદ્ધિ માટે સ્નાન થાય, દેહના મેલને દૂર કરવા માટે સ્નાન થાય. આવું જલ-દેહ અને મળ દ્રવ્યને આશ્રયીને જે સ્નાન ક્રિયા થાય છે તેને દ્રવ્યસ્નાન કહેવામાં આવે છે. શાસ્ત્રીય પરિભાષામાં ‘દ્રવ્ય’ શબ્દનો બીજી રીતે પણ એક વિચાર થાય છે. દ્રવ્ય એટલે પ્રધાન અને અપ્રધાન. જે દ્રવ્ય ભાવનું કારણ બનવાની યોગ્યતા ધરાવતું હોય તે દ્રવ્યને પ્રધાન દ્રવ્ય કહેવાય છે. તેનાથી વિપરીત દ્રવ્યને અપ્રધાન દ્રવ્ય કહેવામાં આવે છે. ભાવનાનના પ્રકારો : આ અપેક્ષાએ ભાવસ્નાનનું કારણ બનવાની યોગ્યતાવાળું પ્રધાનાત્મક દ્રવ્યસ્નાન કહેવાય છે. જ્યારે તેથી વિપરીત અપ્રધાન દ્રવ્યસ્નાન કહેવાય છે. ભાવ એટલે પરિણામ. પરિણામને અનુલક્ષીને કરાતું સ્નાન તે ભાવસ્નાન કહેવાય છે.
SR No.008947
Book TitleVeer Madhuri Vani Tari
Original Sutra AuthorN/A
AuthorRatnasundarsuri
PublisherRatnasundarsuriji
Publication Year
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size572 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy