SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪. વનસ્પતિના જીવો અને સંજ્ઞાઓ ખંડ-૨ આત્મવિજ્ઞાન ભગવાન જિનેશ્વરદેવે મુખ્યત્વે બે પ્રકારના જીવો કહ્યા છે. (૧) પોતાના સાહજિક ગતિથી હાલી ચાલી ન શકે તેવા અને (૨) તેવી, ગતિથી હાલી ચાલી શકે તેવા. જેમનામાં હલનચલનની શક્તિ હોય તે જીવોને જૈનપરિભાષામાં ત્રસ કહેવાય છે, જ્યારે બાકીના જીવોને સ્થાવર કહેવામાં આવે છે. - ત્રસ જીવોના વળી ચાર પ્રકાર છે, જેનાં નામ આપણે પૂર્વે જાણ્યાં - દેવ, મનુષ્ય, નારક અને તિર્યચ. આમાં જે તિર્યંચ જીવો છે તેમાં કેટલાંક ત્રસ છે અને કેટલાંક સ્થાવર પણ છે. એ સ્થાવર જીવોના પાંચ પ્રકાર છે. પૃથ્વી, જલ,અગ્નિ, વાયુ અને વનસ્પતિ. હાલ અહીં તો આપણે ‘વનસ્પતિ’ જીવોની વિચારણા કરીશું. વનસ્પતિમાં પણ જીવ છે એ વાત તો હવે સર જગદીશચંદ્ર બોઝ સાબિત કરી આપી છે. પણ ભગવાન જિનેશ્વરદેવે તો પહેલેથી જ વનસ્પતિમાં જીવત્વની વાત કરી દીધી છે. જૈનદર્શનને પામેલું નાનું બાળક પણ જીવવિચાર નામનું પ્રકરણ ભણીને આ વાત કહી શકે છે. અહીં એ અંગેની શાસ્ત્રીય યુક્તિઓ આપવાને બદલે આજે જે રીતે વનસ્પતિમાં જીવત્વની સિદ્ધિ થઈ છે એજ વિચાર રજૂ કરવો છે. લોકમાનસ આજે વિજ્ઞાન તરફ વધુ આકર્ષિત થયેલું છે તો તેનો જ લાભ ઉઠાવીને સહુને તત્ત્વજ્ઞાનના પ્રેમી કેમ ન બનાવી દેવા ? વનસ્પતિવિજ્ઞાનના વિચારમાં આપણે બે વાત વિચારશું. (૧) વનસ્પતિ જીવોના ભેદ. (૨) વનસ્પતિ જીવોમાં સંજ્ઞાઓ. (૧) વનસ્પતિ જીવોના ભેદઃ વનસ્પતિના તમામ પ્રકારના જીવો એક ઈન્દ્રિયવાળા જ હોય છે. શાળવાશીનાથ શાળage agaઈ શetitiીupre-abra સાથીના વાછતાહના છાત્રાળagrશ શાdate થાઈ છે વાહ થઈ ચાશણગીથી પાણી ૧૬૪ વિજ્ઞાન અને ધર્મ વિભાગ ચોથો અન્ય જીવસૃષ્ટિ અન્ય જીવસૃષ્ટિ ૧૬૩
SR No.008944
Book TitleVigyana ane Dharma
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year2009
Total Pages182
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Science
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy