________________
વિજ્ઞાનને માથું ખંજવાળવું પડ્યું છે.
શું તે બાળકની વાતો ભ્રાન્તિપૂર્ણ હતી માટે ? ...ના ...ના હવે તો વિજ્ઞાન પણ એ સંશોધનોના ભરદરિયે આવતાં જ બોલી ઉઠયું છે કે,
જરૂર જરૂર ભૂતપૂર્વ જન્મ વગેરેની સ્મૃતિની વાતોમાં તથ્ય છે, આત્મા અવિનાશી છે.”
ખેર, હજી તે અંતિમ નિર્ણય પામી શક્યું નથી પરંતુ હવે ઝાઝો સમય નથી. વિજ્ઞાન થોડા જ સમયમાં જૈનાગમના એ તત્ત્વજ્ઞાનને અંતરથી પ્રણામ કરશે જ કરશે.
આ વિષયમાં પદ્ધતિસરનું સંશોધન કરવા માટે ભારત સરકારે પણ આ પ્રયત્નો આદર્યા છે. એવા પ્રયત્નોના એક ફળરૂપે જયપુરમાં આવેલી રાજસ્થાન યુનિવર્સિટીમાં પેરા-સાયકોલોજી વિભાગ ખોલવામાં આવ્યો છે. તે વિભાગમાં પુનર્જન્મની માહિતીનું સંશોધન કરવા માટે ડો. એચ.એન.બેનરજીને રોકવામાં આવ્યા છે. ઘણાં વર્ષોથી ડો. બેનરજી પુનર્જન્મની માન્યતાની સત્યતા અંગે ભારે જહેરત ઉઠાવી રહ્યા છે.
તેમણે આજ સુધીમાં પુનર્જન્મની સ્મૃતિ થઈ હોય તેવી લગભગ પ00 જેટલી વ્યક્તિઓ તપાસી છે. જયાં ક્યાંય પણ કોઈને પુનર્જન્મની સ્મૃતિ થયાની વાત તેમને જાણવા મળી જાય કે તરત જ તેઓ ત્યાં દોડી જાય છે. વિશ્વના ખૂણેખૂણામાં ફરી વળીને આ માન્યતાનું સત્ય પામવા તેઓ સાબદા બન્યા છે.
જો કે હજી સુધી ડો. બેનરજીને કશોયે અંતિમ ઉત્તર પ્રાપ્ત થયો નથી. છેલ્લા બાર બાર વર્ષની સાધના પછી પણ તેઓ હજી આ પ્રશ્ન અંગે મથામણ જ અનુભવી રહ્યા છે. પરંતુ તેમ છતાં તેઓએ એવો નિર્ણય તો નથી લીધો કે હવે, “માનવી એ કેવળ જયંત્ર છે કે પછી આધ્યાત્મિક શક્તિઓ ધરાવતો ઉચ્ચ આત્મા છે,” એવા જુગજૂના વિવાદ અંગેનું સત્યાન્વેષિત્વ ત્યાગી જ દેવું ! ના, હજી તેમનું મંથન અને મથામણ બેય ચાલુ જ છે. તેમની સામે ઘણાં તોફાનો પણ ઊભાં થાય છે, પરંતુ હજી સુધી તેઓ જાણે કે એક કર્મયોગીની અદાથી કામ કરી જ રહ્યા છે.
રાજસ્થાનના આ મનોવૈજ્ઞાનિક સમક્ષ જે સમસ્યા આવી ઊભી છે
તે એ છે કે કોઈ ઉચ્ચ કક્ષાના સ્મૃતિકોષોની કાર્યવાહીની કે મસ્તિષ્કની કોઈ અચેતન પ્રક્રિયાની વૈજ્ઞાનિક સમજૂતી શી રીતે આપવી ? અને આ સમજૂતી પૂર્વાનુમાનોની ઉપેક્ષા કર્યા વગર કેમ રજૂ કરવી ?
જેમનામાં પરોક્ષદર્શન કરવાની શક્તિની કે વિચારસંક્રમણ (Telapathy) કરવાની શક્તિ સાંભળવા મળી કે તરત જ બેતાલીસ વર્ષના આ પ્રાધ્યાપક એ વ્યક્તિની રૂબરૂ મુલાકાત લેવા ઊપડી જ ગયા હોય.
કેટલાંક તો એવા પણ કિસ્સા તેમણે સાંભળ્યા હતા કે જે સાંભળવા માત્રથી માની જ ન શકાય, પરંતુ જ્યારે તેની જાતતપાસ કરી ત્યારે તેઓ ભારે વિમાસણમાં મુકાઈ ગયા હતા. કેમકે એવી જાતિસ્મૃતિ જેમને થઈ હતી તેમણે ભૂતપૂર્વ જીવનના પ્રસંગોને બહુ ચોક્સાઈથી રજૂ કર્યા હતા.
વિદ્યાભૂષણ શ્રી રશ્મિ પોતે આ વિષયમાં શું કહે છે તે જોઈએ. તેઓ કહે છે કે, “મૃત્યુ આપણું શરણ શોધે છે. તમે કદાચ આ વાતને સાવ નકારી દઈને કહેશો કે એવું તે શી રીતે બને ? મૃત્યુ ક્યાં આપણું શરણ શોધે ? પણ હું વિનમ્રભાવે કહીશ કે તમે અહીં જરાક ભૂલ્યા છો. કેમકે ખરી રીતે મૃત્યુ જ તમારી પાસે આશ્રય માંગે છે, અસંખ્ય વર્ષોથી સતત પ્રયત્નશીલ રહેવા છતાં એ તેમને તમારા આત્માને-હણી શક્યું નથી. સમયના આટલા લાંબા ગાળામાં પણ એ એક આત્માનો નાશ કરવામાં સફળ થઈ શક્યું નથી. તો પરાજય કોનો ? તમારો કે મૃત્યુનો ? પહેલાં પાશ્ચાત્ય જગત માનતું હતું કે મૃત્યુની સાથે જ જીવનનો અંત આવી જાય છે – જીવન ઉપર મૃત્યુનો વિજય થાય છે – પણ હવે એ કહેવા લાગ્યું છે કે, ‘જીવન અપરાજેય છે. મૃત્યુ પછી પણ જીવન હયાત રહે છે.’ - એ ક્યારેય મરતું નથી.”
એ વાત કદાચ તમારી જાણ બહાર પણ હોઈ શકે છે કે ખ્રિસ્તી લોકોને માન્ય બાઈબલમાં પુનર્જન્મની વાતોને નકારી નાંખવામાં આવી છે. આમ છતાં અદ્યતન ખ્રિસ્તી જગતના વિખ્યાત ધર્મપ્રચારક, નોર્મન વિન્સેન્ટ પીલનું કહેવું છે કે, “પચાસ વર્ષ દરમિયાન જીવન-મરણની સમસ્યાઓને ઉકેલવાનો પ્રયત્ન કરતાં મને જે અનુભવો થયા છે તેના
જાતિસ્મૃતિથી આત્મસિદ્ધિ : પુનર્જન્મવાદ
૭૨
વિજ્ઞાન અને ધર્મ