SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ દેવામાં હવે આપણે પળભરનો ય વિલંબ કરીશું ખરા ? એ શ્રદ્ધાને અનુરૂપ જીવન બનાવવામાં લેશ પણ ઉદાસીનતા દાખવશું ખરા ? તો ચાલો. આજથી જ... ના, આ પળથી જ સર્વજ્ઞોના શાસનની આણને શિર ઉપર ઝીલીએ અને મરતાં પહેલાં ભૂતપૂર્વ જીવનોમાં આત્મા. ઉપર જામ થઈ ચૂકેલા અશુભ અનુબંધોના બંધમાં કડાકા બોલાવીએ. શુભાનુબંધને વતાનું પ્રદાન કરીએ. પચી....મૃત્યુ આવવા છતાં મૃત્યુંજય બનશે જન્મ પામીને અજન્મા બનશે. કર્મ ધારણ કરીને અકર્મા બનશું. પુનર્જન્મ, દેવલોક સંસ્કારોનું પ્રચંડ બળ, જાતિનું પરિવર્તન વગેરે અનેક બાબતો સિદ્ધ થઈ જાય છે. આ વિષયમાં ઊહાપોહ કરતા ઘણાં ગ્રંથો લખાયા છે. જેવા કે ડો. આર.સી. જહોન્સનનું “ધ ઈમ્પ્રીઝન્ડ પ્લેન્ડર' હાલ્ફ શીલેંનું ‘પ્રોબ્લેમ ઓફ રી બર્થ’ જીના સરમીનારાનું ‘મેની મેન્શન્સ', થોમસ સુગરનું, ‘ધેર ઈઝ એ રીવર', ઈવા માર્ટીનનું “રીંગ ઓફ રિટર્ન વગેરે... રૂથ સાયમન્સના આયર્લેન્ડના ભૂતપૂર્વ જીવનની વાતો સાંભળીને એક પત્રકારે મોરી બર્નસ્ટેઈનને સલાહ આપી કે તેમણે આયર્લેન્ડમાં તપાસ કરવી. એ વાત જાણીને સાનંદાશ્ચર્ય થશે કે જયારે એ તપાસ કરવામાં આવી ત્યારે ઘણાં પ્રયત્નો બાદ ઘણી ઘણી વાતોનો સંવાદ પ્રાપ્ત થયો. આ અંગે જેણે વિસ્તારથી જાણવું હોય તેણે તે લેખકનું “ધ સર્ચ ફોર બ્રાઈડે મર્ફી’ પુસ્તક જોઈ લેવું. આપણે તો અહીં આટલું જ જણાવવું છે કે પાશ્ચાત્ય સંસ્કારોને ગળથૂથીમાં જ પામેલા કેટલાક માણસો આ રીતે આત્મા અને તેના પુર્નજન્મની માન્યતાની વાતોના પ્રચંડ ઊંડાણ સુધી પહોચી જાય અને પછી જે પરિશ્રમ વેઠીને મોટાં વોલ્યુમ પ્રગટ કરે અને તેમાં જૈનદર્શનને ખૂબ જ અનુકૂળ વાતો જોવા મળે ત્યારે હૈયું આનંદથી છલકાઈ જાય અને આંખો હર્ષના આંસુથી ઊભરાઈ જાય ! કમાલ કરી છે વીતરાગ ભગવંતોએ ! સાચે જ તેઓ સર્વજ્ઞ હતા. નહિ તો કોઈપણ પ્રયોગશાળા કે નાનકડા પણ પ્રયોગ વિના અગમનિગમની વાતો એઓ શી રીતે કરી ગયા ? વશીકરણવિદ્યાના પ્રયોગથી જો આત્માનું અમરત્વ સિદ્ધ થતું હોય તો હવે એ અમર આત્માની જ ભાવી ચિંતા કરવાનું ઉચિત નથી શું? જો વર્તમાનજીવનના સુખદુ:ખના મૂળમાં જન્માંતરના સંસ્કારો કર્મ દ્વારા કામ કરતાં સિદ્ધ થતાં હોય તો ભાવી જન્મોના સૌન્દર્ય માટે વર્તમાન-જીવનને સુંદર સંસ્કારોથી સભર બનાવવાનું અનિવાર્ય નથી શું? અને છેલ્લી વાત અગમનિગમની. આવી વાતો કહી જનારા સર્વજ્ઞભગવંતોની તમામ વાતોમાં અપ્રતિહત શ્રદ્ધા આંખ મીંચીને મૂકી હાળશા હાથ in angio iાશigiઈ શાળા છૂછશr agait #indagi tali gita intimidata initiatiા વશીકરણવિધાથી આત્મસિદ્ધિ : પુનર્જન્મ ૬૭ ૬૮ વિજ્ઞાન અને ધર્મ
SR No.008944
Book TitleVigyana ane Dharma
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year2009
Total Pages182
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Science
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy