SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ મોટા આડંબર સાથે માંડ્યા હોય, તેથી લોકોમાં બહુ પ્રશંસા વગેરે થાય, પણ વસ્તુ તો દેવદ્રવ્યની હોય, કે જેની લોકોને ખબર પણ ન હોય. આમ દેવદ્રવ્યની વસ્તુથી પોતાની વાહ-વાહ થાય ને બદલામાં ન કરો તો થોડો જ ભર્યો હોય તો સ્પષ્ટ જ દોષ છે. આ વાત ઉપર લક્ષ્મીવતીનું દૃષ્ટાંત છે. લક્ષ્મીવતીનું દૃષ્ટાંત કોઇ લક્ષ્મીવતી નામે શ્રાવિકા ઘણી શ્રીમંત અને ધર્મિષ્ઠ હતી. પણ પોતાની મોટાઈ થાય એવી ઇચ્છાવાળી હતી. તે હંમેશા થોડો નકરો આપીને ઘણા આડંબરથી વિવિધ પ્રકારના ઉજમણાં આદિ ધર્મકૃત્યો કરે અને કરાવે, તથા મનમાં એમ માને કે, “હું દેવદ્રવ્યની વૃદ્ધિ તથા પ્રભાવના કરું છું” એવી રીતે શ્રાવકધર્મ પાળીને મરણ પામી તે સ્વર્ગે ગઇ, ત્યાં નીચદેવીપણે ઉત્પન્ન થઇ. પછી સ્વર્ગથી ચ્યવી કોઇ ધનવાન તથા પુત્ર રહિત શેઠને ત્યાં વલ્લભ-લાડકી પુત્રીપણે ઉત્પન્ન થઇ. પણ તે ગર્ભમાં આવી ત્યારે ઓચિંતો દુમન રાજાનો મોટો ભય આવવાથી તેની માતાનો સીમંતનો ઉત્સવ ન થયો. તથા જન્મોત્સવ, છઠ્ઠીનો જાગરીકોત્સવ, નામ પાડવાનો ઉત્સવ આદિ ઉત્સવ પિતાએ મોટા આડંબરથી કરવાની તૈયારી કરી હતી, તો પણ રાજા તથા મંત્રી આદિ વિવિધ લોકોના ઘરમાં શોક ઉત્પન્ન થવાથી તે ન થયા. તેમજ શેઠે બધા અંગે પહેરી શકાય એવા રત્ન - જડિત સુવર્ણના વિવિધ અલંકારો ઘણા આદરથી કરાવ્યા હતા, તો પણ ચોરવગેરેના ભયથી તે પુત્રી એક દિવસ પણ પહેરી શકી નહીં. તે મા-બાપને તથા બીજા લોકોને પણ ઘણી વહાલી હતી, તો પણ પૂર્વકર્મના દોષથી તેને ખાવા પીવાની તથા પહેરવા-ઓઢવાની વસ્તુ મોટે ભાગે એવી મળતી કે જે સામાન્ય માણસને પણ સુખે મ શકે, કોકે કહ્યું છે કે સાગર તું રત્નાકર છે, તેથી તું તો રત્નથી ભરેલો જ છે. છતાં મારા હાથમાં દેડકો આવ્યો! એ તારો દોષ નથી, પણ મારા પૂર્વકર્મોનો દોષ છે. પછી શેઠે એ પુત્રીનો એક પણ ઉત્સવ થયો નથી એમ વિચારી મોટા આડંબરથી તેનો લગ્ન મહોત્સવ કરવા માંડ્યો. પણ લગ્ન દિવસ નજીક આવ્યો ત્યારે તે પુત્રીની માતા અચાનક મરણ પામી. ત્યારે બિલકુલ ઉત્સવ ન થતાં વર-વહુનો હસ્તમેળાપ રૂઢી પ્રમાણે કર્યો. મોટા ધનવાન તથા ઉદાર શેઠને ઘરે પરણી હતી અને માનીતી હતી, તો પણ પૂર્વની જેમ નવા નવા ભય, શોક, માંદગી આદિ કારણ ઉત્પન્ન થવાથી તેને પોતાના મનગમતા વિષયસુખ ભોગવવાનો તથા ઉત્સવ માણવાનો યોગ પ્રાયે ન જ મળ્યો. તેથી તે મનમાં ઘણી ઉદ્વિગ્ન થઇ અને સંવેગ પામી. એક દિવસે તેણે કેવળજ્ઞાની ગુરુભગવંતને એ વાતનું કારણ પૂછવાથી તેમણે કહ્યું કે, “પૂર્વભવે તે થોડો નકરો આપી દેરાસર આદિની ઘણી વસ્તુ વાપરી મોટો આડંબર દેખાડી વાહ-વાહ મેળવેલી. એવા એવા કાર્યોથી દુષ્કર્મ ઉપાર્યું. તેનું આ ફળ છે” કેવળીના એ વચન સાંભળી તેણે એ પાપની આલોચના કરી. પછી દીક્ષા લઇ અનુક્રમે નિર્વાણ પામી. લક્ષ્મીવતીની આ કથા છે. માટે ઉજમણા આદિમાં મુકવા પાટલીઓ, નાળિયેર, લાડુ, આદિ વસ્તુઓનું જે મૂલ્ય હોય, તથા તે તૈયાર કરતાં, લાવતાં જે ખર્ચ થયો હોય, તેથી પણ કાંઇક વધારે રકમ આપવાથી શુદ્ધ નકરો કહેવાય છે. કોઇએ પોતાના નામથી ઉજમણા વગેરે માંડ્યું હોય, પરંતુ અધિક શક્તિ આદિ ન હોય, તો તેને સાચવવા કોઇ બીજો માણસ કાંઇ મૂકે, તો તેથી કોઇ દોષની પ્રાપ્તિ થતી નથી. ૧૦૦ શ્રાદ્ધવિધિ પ્રકરણ
SR No.008938
Book TitleShraddhavidhi Prakaran
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherArham Parivar Trust
Publication Year2008
Total Pages291
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, Devdravya, Ritual, & Vidhi
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy