SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ મનની અનેક નબળી કડીઓમાંની એક નબળી કડી એ છે કે સારાં કાર્યો કરવા એ તૈયાર ત્યારે જ થાય છે કે એ કાર્યો કરવાનો યશ એને જ મળવાનો હોય. આ વૃત્તિના કારણે બને છે એવું કે સંખ્યાબંધ કાર્યો - કે જે શરૂ થઈ શકે તેવા છે એ જીવનમાં શરૂ થતાં જ નથી. એક કામ આપણે કરશું? યશ કોણ લઈ જાય છે એની પરવા કર્યા વિના જીવનમાં સત્કાર્યો શરૂ કરી દઈએ. જગતને તો જે લાભ થશે તે, આપણું મન તો પ્રસનતાથી તરબતર થઈને જ રહેશે. બીજાઓએ મારી સાથે કરેલ ગેરવર્તનને હું સતત યાદ રાખ્યા કરતો હતો અને ફળરવરૂપે ઉદાસીનો શિકાર બન્યા કરતો હતો. મેં મારી વિચારવાની દિશા બદલી. યાદ રાખીને ઉદાસ જ રહેવું એ વધુ સારું કે ભૂલી જઈને હસતા રહેવું એ વધુ સારું ? આજે હું આનંદમાં છું. ગલત ભૂતકાળ હું યાદ રાખતો નથી. મારો વર્તમાનકાળ મસ્ત બની રહ્યો છે.
SR No.008937
Book TitleShikhar Sathe Vato
Original Sutra AuthorN/A
AuthorRatnasundarsuri
PublisherRatnasundarsuriji
Publication Year
Total Pages102
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size618 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy