________________
મનની અનેક નબળી કડીઓમાંની એક નબળી કડી એ છે કે સારાં કાર્યો કરવા એ તૈયાર ત્યારે જ થાય છે કે એ કાર્યો કરવાનો યશ એને જ મળવાનો હોય. આ વૃત્તિના કારણે બને છે એવું કે સંખ્યાબંધ કાર્યો - કે જે શરૂ થઈ શકે તેવા છે એ જીવનમાં શરૂ થતાં જ નથી.
એક કામ આપણે કરશું? યશ કોણ લઈ જાય છે એની પરવા કર્યા વિના જીવનમાં સત્કાર્યો શરૂ કરી દઈએ. જગતને તો જે લાભ થશે તે, આપણું મન તો પ્રસનતાથી તરબતર થઈને જ રહેશે.
બીજાઓએ મારી સાથે કરેલ ગેરવર્તનને હું સતત યાદ રાખ્યા કરતો હતો અને ફળરવરૂપે ઉદાસીનો શિકાર બન્યા કરતો હતો.
મેં મારી વિચારવાની દિશા બદલી. યાદ રાખીને ઉદાસ જ રહેવું એ વધુ સારું કે ભૂલી જઈને હસતા રહેવું એ વધુ સારું ?
આજે હું આનંદમાં છું. ગલત ભૂતકાળ હું યાદ રાખતો નથી. મારો વર્તમાનકાળ મસ્ત બની રહ્યો છે.