________________
મારું દુઃખ બીજાના દુઃખનું કારણ ન બનવું જોઈએ એ વાત તો મારા મગજમાં બરાબર ગોઠવાઈ ગઈ છે; પરંતુ મારું સુખ બીજાના સુખનું કારણ બનવું જ જોઈએ એ વાત મારા મગજમાં હજી બરાબર ગોઠવાઈ નથી અને એટલે જ દુઃખને તો હું એકલો ભોગવી લઉં છું પણ સુખને સહુની વચ્ચે વહેંચી શકતો નથી. | મને લાગે છે કે મારો આ અભિગમ જ મને પરિવારપ્રિય કે લોકપ્રિય બનતા અટકાવી રહ્યો છે. આ ગલત અભિગમને મારે બદલવો જ રહ્યો.
સુખ મને નથી પણ મળતું, મને ગમે છે તો સુખ જ; પરંતુ ધર્મની બાબતમાં મારી સ્થિતિ થોડીક વિપરીત છે. હું ધર્મ કરું પણ છું તો ય મને ગમે છે તો પાપ જ ! | દુઃખ મારા પર આવે છે તો ય દુઃખ મને ગમતું તો નથી જ જ્યારે પાપો હું નથી પણ કરતો તો ય મને ગમે છે તો પાપ જ ! | શું થશે મારું ?