SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ કાંઈ પણ ન કરવા છતાં ઉંમર જેમ વધતી જ જાય છે તેમ કાંઈ પણ ન કરવા છતાં કોણ જાણે કેમ મનમાં વિચારો આવતા જ જાય છે. નિમિત્તો હોય છે તો જ વિચારો આવે છે એવું નથી. વગર નિમિત્તે ય વિચારો આવતા જ રહે છે. અનુભવ એમ કહે છે કે વિચારો કરવા એ જરાય કઠિન નથી, કઠિન તો છે વિચારો બદલવા, વિચારોનું પરિમાર્જન કરવું. વિચારોને સમ્યક દિશા આપવી. વિચારોને નિર્મળ બનાવવા. આપણે એ દિશામાં પ્રયત્નશીલ બનશું ખરા? પ્રભુ મારા સ્વપ્નમાં પધાર્યા અને મને પ્રભુને એક પ્રશ્ન પૂછવાનું મન || થઈ ગયું. ‘અમારી માનવજગતની ક્રૂરતા, કૃતજ્ઞતા અને I કૃપણતા નિહાળ્યા પછી ય આપને ક્યારેય હસવું આવે છે | ખરું ?' ‘માણસ આવતી કાલનું જ્યારે આયોજન કરે છે I ત્યારે મારા ચહેરા પર અચૂક મુસ્કાન આવી જાય છે! પ્રભુનો આ જવાબ સાંભળીને મારી આંખો ખૂલી ગઈ !
SR No.008937
Book TitleShikhar Sathe Vato
Original Sutra AuthorN/A
AuthorRatnasundarsuri
PublisherRatnasundarsuriji
Publication Year
Total Pages102
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size618 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy