________________
કાંઈ પણ ન કરવા છતાં ઉંમર જેમ વધતી જ જાય છે તેમ કાંઈ પણ ન કરવા છતાં કોણ જાણે કેમ મનમાં વિચારો આવતા જ જાય છે. નિમિત્તો હોય છે તો જ વિચારો આવે છે એવું નથી. વગર નિમિત્તે ય વિચારો આવતા જ રહે છે.
અનુભવ એમ કહે છે કે વિચારો કરવા એ જરાય કઠિન નથી, કઠિન તો છે વિચારો બદલવા, વિચારોનું પરિમાર્જન કરવું. વિચારોને સમ્યક દિશા આપવી. વિચારોને નિર્મળ બનાવવા. આપણે એ દિશામાં પ્રયત્નશીલ બનશું ખરા?
પ્રભુ મારા સ્વપ્નમાં પધાર્યા અને
મને પ્રભુને એક પ્રશ્ન પૂછવાનું મન || થઈ ગયું. ‘અમારી માનવજગતની ક્રૂરતા, કૃતજ્ઞતા અને I કૃપણતા નિહાળ્યા પછી ય આપને ક્યારેય હસવું આવે છે | ખરું ?'
‘માણસ આવતી કાલનું જ્યારે આયોજન કરે છે I ત્યારે મારા ચહેરા પર અચૂક મુસ્કાન આવી જાય છે!
પ્રભુનો આ જવાબ સાંભળીને મારી આંખો ખૂલી ગઈ !