________________
મને બરાબર ખ્યાલ આવી ગયો છે કે જેણે જીવન દુષ્ટ ગાળ્યું છે એને પોતાની જ મૃતિનો ડર રહ્યા કરતો હોય છે. આખરે, ફુરસદથી માણસો આટલા બધા ડરતા કેમ હોય છે, એનું રહસ્ય મને સમજાઈ ગયું છે.
આ સમજણ પછી મેં મારા જીવનનો રાહ બદલી નાખ્યો છે કારણ કે વૃદ્ધાવસ્થામાં મને પુષ્કળ ફુરસદ મળવાની જ છે અને એ અવસ્થાને હું ડરામણી સ્મૃતિઓથી બગડવા દેવા નથી જ માગતો.
શરીરમાં લોહી એની મેળે ફરતું રહે છે, શ્વાસ એની મેળે લેવાતો રહે છે, ખોરાક એની મેળે પચતો રહે છે અને છતાં મને એમ લાગી રહ્યું છે કે આ શરીરને હું જ ટકાવી રહ્યો છું ! | કોણ સમજાવે મારા મનને કે આ જગતમાં ફેંકી દેવા જેવી કોઈ એક જ મૂડી હોય તો એ મૂડીનું નામ છે, અહંકાર !