SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ એક વાત અનુભવે સમજાઈ ગઈ છે કે પ્રશંસા કરીને, પ્રેરણા કરીને કે પ્રોત્સાહન આપીને માણસને સજ્જનતાના માર્ગ પર કદમ મૂકતો કરી શકાય છે પરંતુ વખોડતા રહીને, ધમકાવતા રહીને કે તિરસ્કાર કરતા રહીને દુર્જનતાના માર્ગ પર કદમ માંડી ચૂકેલા માણસને એ માર્ગેથી પાછો વાળવામાં સફળતા નથી જ મળતી. નિરીક્ષણ કરતા રહેવા જેવું છે અંતઃકરણનું. આપણો ભરોસો શેના પર છે ? પ્રશંસા પર કે તિરસ્કાર પર ? | ઘરમાં લગ્ન પ્રસંગ આવે છે અને માણસ સરનામાની ડાયરી ખોલીને બેસી જાય છે. લગ્નની પત્રિકા કોને કોને મોકલવી, એ માટે નહીં પણ કોનાં કોનાં નામ કેન્સલ કરી દેવા એ નક્કી કરવા માટે ! એમ લાગે છે કે મંગળ પ્રસંગોને પણ અપમંગળમાં કેવી રીતે ફેરવી દેવા એ બાબતમાં માણસનો કોઈ જોટો જ નથી !
SR No.008937
Book TitleShikhar Sathe Vato
Original Sutra AuthorN/A
AuthorRatnasundarsuri
PublisherRatnasundarsuriji
Publication Year
Total Pages102
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size618 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy