________________
ગુણોની કોઈ એક જબરદસ્ત ખાસિયત હોય તો તે આ છે કે ગુણો એ ખાનદાન મહેમાન જેવા છે, વગર આમંત્રણે એ આપણા જીવનઘરમાં પધારવા તૈયાર થતા જ નથી જ્યારે દોષોની ખતરનાકતા કોઈ હોય તો તે આ છે કે દોષો એ ખૂંખાર ગુંડાઓ જેવા છે. વગર આમંત્રણે આક્રમણ કરતા રહીને એ આપણા જીવનઘરમાં ઘૂસતા જ રહે છે. ટૂંકમાં, લાવ્યા વિના ગુણો આવતા નથી અને કાયા વિના દોષો જતા નથી.
એમ તો મીઠાઈ વેચનારો પણ પૈસા કમાય છે અને ગુટખા વેચનારો પણ પૈસા કમાય છે પરંતુ એ બંને વચ્ચે ફર્ક એટલો છે કે એક લોકોનું મોટું મીઠું કરે છે જ્યારે બીજો લોકોને મોતની ભેટ ધરી દે છે.
મેં નક્કી કર્યું છે કે જીવન હું એવું તો નહીં જ જીવું કે જે બીજાને ગલત આલંબન આપનારું બની રહે, ભલે પછી એ જીવન કદાચ પ્રસન્નતાસભર હોય કે મકતીસભર
હોય !
e ૫૭