________________
૫૦
મ
પદાર્થોનું શિખર એવું છે કે એ શિખર પર પહોંચી જવામાં એક વાર તમને સફળતા મળી પણ જાય પણ તમે એમ કહો કે ‘એ શિખર પર ટકી રહેવામાં પણ હું સફળ બનીને જ રહીશ’ તો એમાં તમે માર ખાઈને જ રહો.
જ્યારે સદ્ગુણોનું શિખર એવું છે કે એ શિખર પર પહોંચી જવામાં પ્રચંડ પુરુષાર્થે તમે સફળ પણ બની શકો અને જાગ્રત રહો તો એ શિખર પર ટકી રહેવામાં પણ તમે સફળ રહી શકો. કયા શિખર પર પહોંચવું છે ?
મને સંપત્તિ સુરક્ષિત સ્થળે રાખતા આવડે છે. ચંપલ ઠેકાણે રાખતા આવડે છે. કપડાં કયા ઠેકાણે રાખવા જોઈએ એની મને સમજ છે. અરે, મકાન કયા ઠેકાણે લેવું જોઈએ એની ચ મારી પાસે અક્કલ છે પણ ખાટલે મોટી ખોડ એ છે કે મનને ઠેકાણે કેમ રાખવું એની જ મને ખબર નથી. પ્રભુ, તું એને ઠેકાણે લાવી દે.
૫૦