________________
સંપત્તિ અને સદ્ગુણો વચ્ચેનો એક મહત્ત્વનો તફાવત ખ્યાલમાં છે ? સંપત્તિના નિંદકો લગભગ કોઈ નથી, સંપત્તિના પ્રશંસકો સૌથી વધુ છે અને સંપત્તિના અનુયાયીઓ તો પાર વિનાના છે.
જ્યારે, સદ્ગણોના નિંદકો પણ આ જગતમાં વિધમાન છે જ તો સદ્ગણોના પ્રશંસકો પણ આ જગતમાં ઓછા નથી પરંતુ સદ્ગણોના અનુયાયીઓ ? આંગળીના વેઢે ગણી શકાય એટલા જ છે.
મારી આર્થિક સંકડામણને ખ્યાલમાં રાખીને મારું પાંચ લાખનું દેવું કોક છોડી દે છે એ પછી ય સામાની આર્થિક સંકડામણનો ખ્યાલ આવી ગયા પછી હું એનું પચાસ હજારનું દેવું માફ કરી દેવા તૈયાર થતો નથી. | મારી આ વૃત્તિને કૃતજનતાનું લેબલ લગાડવું કે કઠોરતાનું ? નિર્લજ્જતાનું લેબલ લગાડવું કે નાલાયકતાનું ? કશું જ સમજાતું નથી.
૩૧