________________
સાપને વશમાં ન રાખી શકે એ માણસને સાપ મારી નાખે એ તો સાંભળ્યું છે અને સાપને વશમાં રાખી શકે એ માણસ સાપ દ્વારા પોતાની આજીવિકા ચલાવી શકે એ ય સાંભળ્યું છે; પરંતુ મનને જે વશમાં ન રાખી શકે એ વ્યક્તિને મન એ હદે બરબાદ કરી નાખે છે કે જેનું શબ્દોમાં વર્ણન ન કરી શકાય અને મનને જે વશમાં રાખી શકે એ વ્યક્તિને મન એ હદે ન્યાલ કરી દે છે કે જેનું ય શબ્દોમાં વર્ણન ન કરી શકાય એ ય સમજી લેવા જેવું છે. વાંચ્યું છે આ વાક્ય ? “મનનું માન્યું, મર્યા! મનને માર્યું જીત્યા !'
ડાહ્યા કરતા ગાંડો વધારે સુખી દેખાતો હોય તો ય મને ક્યારેય એવો વિચાર ન આવે. કે ડાહ્યા રહેવા કરતા ગાંડા રહેવું વધુ સારું પણ, | ધર્મી કરતા પાપી વધુ સુખી દેખાય એટલે તરત જ મારા મનમાં આ વિચાર ઝબકવા લાગે કે ધર્મી બન્યા રહેવા કરતા પાપી બન્યા રહેવું વધુ સારું! કમાલ છે ને ?