________________
અંધકાર રવાના થવા તૈયાર છે જો આપણે પ્રકાશને હાજર કરવા તૈયાર હોઈએ તો ! ઝરણું પ્રગટ થવા તૈયાર છે જો આપણે પથ્થર હટાવવા તૈયાર હોઈએ તો ! રોગ રવાના થવા તૈયાર છે જો આપણે દવા લેવા તૈયાર હોઈએ તો !
જીવનમાં વ્યાપેલાં પાપો અને મનમાં ઘર કરી ગયેલા દોષો રવાના થવા તૈયાર છે જો હૃદયમાં આપણે પરમાત્માને પ્રતિષ્ઠિત કરી દેવા તૈયાર હોઈએ તો !
- ::- . = = 1 ગાંડાઓની હૉસ્પિટલમાં કોઈ એક જ વ્યક્તિ નો
સૌથી વધુ તકલીફમાં હોય તો એ વ્યક્તિ છે ડૉક્ટર.
આજે મને ખ્યાલ આવે છે કે આ સંસારમાં || સૌથી વધુ તકલીફો અને કષ્ટો, મુશ્કેલીઓ અને = " અપમાનો સીધા રસ્તે ચાલનારને જ કેમ વેઠવાનાં
આવે છે ? દુર્જનો તો ગાંડાઓનું પ્રતિનિધિત્વ પધરાવી રહ્યા છે. તેઓ તો હંમેશાં મજામાં [3] જ ન હોવાના !