________________
CS
કાગડાના મુખે
આજે બગીચાના સમાચાર સાંભળવા મળ્યા ?
કમાલ !
ગીધ આજે આંબાના વૃક્ષ પર બેસીને કેરી ખાતું જોવા મળ્યું ? કમાલ !
મરેલા ઉંદર પર નજર પડવા છતાં સમડીએ એની સામે જોયું પણ નહીં ?
માલ
સર્પને જોવા છતાં
મોરે પોતાનું નાચવાનું ચાલુ જ રાખ્યું ? કમાલ !
અનાજનાં લહેરાતાં ખેતરો પરથી પસાર
થવા છતાં તીડોએ એ ખેતરો પર આક્રમણ ન કર્યું ?
કમાલ !
સર્જાયેલ આ ચમત્કારોની તપાસ કરી
ત્યારે ખ્યાલ આવ્યો કે
કાગડો, ગીધ, સમડી, મોર અને તીડ એ બધાય થોડાક દિવસ પહેલાં માન સરોવરની યાત્રાએ ગયા હતા
અને ત્યાં હંસના સાંનિધ્યમાં એમણે
સાતેક દિવસ સત્સંગ કર્યો હતો !
યાત્રાની અને સત્સંગની આટલી અસર તો થાય જ ને ?
૯