________________
ગુરુદેવ કહે છે... 'વાસના એ રોગ છે, ભયંકર રોગ છે, કેમકે એમાં ચિત્ત વિશ્વળ બને છે. સંતાપવાળું બને છે" આ વસ્તુ, દિલમાં બેસી ગયા પછી તો મન કંટાળશે કે વારે વારે આ શી વેઠ કે પહેલી તો વિષયરાગની વિહળતા ઊભી કરવી, ને પછી એના પર વાસના ઉઠાડી વિહળતા વળી ઊભી કરવી ? ચિત્ત વિદ્વ કરે એવો વિષયનો રામ અને એને ભોગવવાની વાસના, એ બેય ખોટ. બે ય ખતરનાક, મારે તો ચિત્તની સ્વસ્થતા ખપે, વિવળતા નથી. '
- આમ, મુખ્ય ચિત્તની સ્વસ્થતા પર લક્ષ બંધાઈ જાય તો સમજે કે ચિત્ત પર એક મહાન વિજય પ્રાપ્તા થઈ ગયો.
મલાડનું એ પ્રથમ ચાતુમાંસ હતું મારું. આસને બેઠા બેઠા હું ગાથા ગોખી તો રહ્યો જ હતો પણ આંખો ચકળવકળ થઇને ચારે ય બાજુ ફરી રહી હતી. નહોતી ગાથા ગોખવામાં સફળતા મળતી કે નહોતી ગાથા ગોખવામાં કોઈ પ્રસન્નતા અનુભવાતી. આપની બાજુમાં જ મારું આસન હતું એટલે આ સ્થિતિની આપને જાન્ન ન થાય એ તો બને જ શી રીતે ? આપે મને બોલાવ્યો.
'જો રત્નસુંદર, મોટું ભીત તરફ કરીને બેસી જા. ગાથા તો ગોખાશે જ પરંતુ મકાનમાં કોણ આવ્યું? કોણ ગયું ? કોણ શું કરે છે ? વગેરે બધું જ જોતાં-જાણતાં રહેવાની જે કૂતુહલવૃત્તિ અંદરમાં ધબકતી હશે એ ય, ખોરાક ન મળવાથી આપોઆપ શાંત બની જશે.
બાકી, યુવાની તો દીવાની છે. એને નિયંત્રણમાં રાખવાની આવી કળા આત્મસાત્ નહીં કરી હોય તો મને સંતજાતના નબળા-કામ અને નુકસાનકારી વિચારોનું શિકાર બનીને સંયમજીવનને જોખમમાં મૂકી દેશે.'
ગુરુદેવ ! સંપત્તિ સાચવવાની કળા તો જનમજનમ આત્મસાતુ ચઈ હશે પણ સંચમ સાચવી લેવાની જે કળા આપ આત્મસાત કરી ચૂક્યા હતા એ કળાએ જ તો આપને માટે અમને 'યુગો સુધી ઝળહળશે, ભુવનભાનુનાં અજવાળાં' ગાવા મજબૂર કર્યા છે ને ?