________________
ગુરુદેવ કાઠે છે. સંસાર ઉપદ્રવોથી ભરેલો હોય એટલે તો હોય ધોઈ નાખવાના હોય, છતાં ત્યાં મને આશાખોમાં અને આનંદમાં રમતું હોય તો એ ભારે અવિવેક અને અજ્ઞાનદશા કહેવાય. ઉપદ્રવોની હારમાળા લાગી હોય ત્યાં આનંદ. શો ? નિશ્ચિતતા શી ? અાશાખો કેવી ?
સંયમ જીવનના પર્યાયનું મારું એ બીજું વરસ હતું, ચાતુર્માસ હતું, અમદાવાદ-ન્દશા પોરવાડ સોસાયટીમાં, સાંજનું પ્રતિક્રમણ ઉપાશ્રયના ભોયતળિયે બેસતું હતું અને ગુરુદેવ, આપના સહિત સહુ મુનિઓનાં આસન બીજા માળે હતા. રોજ તો પ્રતિક્રમણ પછી તુર્ત જ આસન પર આવીને હું સ્વાધ્યાય કરવા બેસી જતો હતો પણ આજે આસને આવતાં થોડું કે મોડું થયું અને આપે મને પૂછી લીધું. | ‘મોડો કેમ આવ્યો ?”
*એક શ્રાવક રોજ પ્રતિક્રમણ બાદ તુર્ત જ ઘરે જવા નીકળી જતા હતા પણ આજે એ એમ ને એમ બેઠા હતા. મેં એમને પૂછ્યું, ઘરે નથી જવું ?’ ‘આવતી કાલે પાંચમ છે. શાક લાવવાનું નથી' એટલું એ બોલ્યો અને મેં એમને કહ્યું કે આવતી કાલે તો પ્રથમ ચૌથ છે ' બસ, એ તુતી શાક લેવા નીકળી પડ્યા. આ કારણસર હું મોડો પડ્યો છું.
‘તારા આ બોલવાના કારણે વનસ્પતિના સેંકડો જીવોની વિરાધના નક્કી થઈ ગઈ, પાપનો તને કોઈ ડર છે કે નહીં ? કાલે ઉપવાસ કરી દેજે.',
| ગુરુદેવ ! આ પરિણામદર્શિતા અપની હતી. વિરાધનાની આ વૈદનાં અપને હતી. આશ્રિતોનાં હિતની આ ચિંતા આપને હતી, પ્રમાદ પ્રત્યે આપની આવી લાલ આંખ હતી ! અમને આપ એ શ્રીમંતાઈ ન આપો ?