________________
ગુરુદેવ કહે છે...
રાગ-દ્વેષથી બચવું હોય તો પહેલાં એ કરાવનાર-પોષનાર જડચેતન વસ્તુના સંગ મૂકાં, એનો સંયોગ છોડો. નહિતર જા નિમિત્ત પાસે છે તો એવા દુષ્ટ ભાવ દિલમાંથી ખસશે જ નહી.
રાગ-દ્વેષથી બચવાનો આ જ રાજમાર્ગ છે. રાગ-દ્વેષ કરાવતાં નિમિત્તીનો ત્યાગ કરતા જાઓ.
સાવરકુંડલાનું એ ચાતુર્માસ હતું. સંયમજીવન અતિચાર રહિત કઈ રીતે બન્યું રહે એના અનેક વિકલ્પો આપ વાચનાના માધ્યમે સાધુ-સાધ્વી સમક્ષ રોજ મૂકી રહ્યા હતા. એમાં એક દિવસ આપે અમારા સહુ સમક્ષ એક પ્રશ્ન મૂક્યો.
‘ગોચરી વાપર્યા પછી પાતરા જે કપડાં (લૂણાં) થી તમો સહુ લૂછો છો એ કપડાંનો તો સાંજ પડ્યે કાપ નીકળી જાય છે પરંતુ વાપરી લીધા પછી આખો ગોચરી હૉલ જે કપડાં લૂછણિયાં થી સાફ થાય છે એ
ડાંને સાફ કોણ કરે છે ?'
‘કોઈ જ નહીં’
'એ કપડાં પર દાળ-શાકનાં ડાઘા લાગે અને સાંજ પડ્યે એ સાફ થાય નહીં તો રાત્રિભોજનનો અતિચાર લાગે કે નહીં ?!
લાગે'
“તો નક્કી કરી દો કે એક એક સાધુએ વારાફરતી એ કપડાંનો રોજ કાપ કાઢી લેવો. આખા સમુદાયને અતિચારથી મુક્ત રાખવાનો લાભ એ સાધુને મળશે.'
ગુરુદેવ !
અતિચારશોધક આપની આ સૃષ્ટિને અને અતિચારનિવારક આપની આ વિશુદ્ધ પ્રજ્ઞાને વંદન કરવા સિવાય અમે બીજું કરી પણ શું શકશું ? અમને આશીર્વાદ આપો. સંયમજીવનને અમે અતિચારરહિત બનાવતા જ રહીએ.