SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ સડેલા શાકને શાકવાળાને ત્યાં જ રહેવા દઈને સારા શાક ખરીદી લાવતો માણસ, સડેલા ઘઉંને દુકાનમાં જ રહેવા દઈને સારા ઘઉં ખરીદી લાવતો માણસ, નબળાં ફર્નિચરને ત્યાં જ રહેવા દઈને સારું ફર્નિચર ખરીદી લાવતો માણસ, જ્યારે સામી વ્યક્તિના જીવનમાં રહેલા સગુણો પ્રત્યે આંખમીંચામણાં કરતો રહીને એનામાં રહેલા દોષો જ જોતો રહે છે ત્યારે સાચે જ સ્તબ્ધ થઈ જવાય છે. વધુમાં વધુ અપરાધો કોણ આચરી રહ્યા છે? સાક્ષરો! જગતમાં વધુ ને વધુ પ્રદૂષણ કોણ ફેલાવી રહ્યું છે? સાક્ષરો ! નિરક્ષરોને વધુ ને વધુ કોણ છેતરી રહ્યું છે? સાક્ષરો ! કરોડોના ગોટાળાઓ કોણ કરી રહ્યું છે? સાક્ષરો! બૉમ્બ કોણ સર્જી રહ્યું છે? સાક્ષરો ! હાથ-કંકણ અને આરસી જેવી આ સ્પષ્ટ વાસ્તવિકતા હોવા છતાં ય જ્યારે સાક્ષરતા અભિયાનો ચલાવવા પર ચારે ય બાજુથી જોર લગાવાઈ રહ્યાના સમાચાર કાને આવે છે ત્યારે સાચે જ સ્તબ્ધ થઈ જવાય છે. અહિંસા એ ધર્મ છે, નમ્રતા અને પરોપકાર એ ધર્મ છે. સદાચાર અને પવિત્રતા એ ધર્મ છે. નિખાલસતા અને સરળતા એ ધર્મ છે અને આજના રાજનેતાઓ એમ કહી રહ્યા છે કે ‘રાજકારણમાં ધર્મનો હસ્તક્ષેપ ન જ થવો જોઈએ’ અનેક લોકોનાં મુખે અનેકવાર જ્યારે આવું સાંભળવા મળે છે પણ ‘રાજકારણમાં અધર્મનો હસ્તક્ષેપ ન જ થવો જોઈએ’ એવું સાંભળવા નથી મળતું ત્યારે સાચે જ સ્તબ્ધ થઈ જવાય છે.
SR No.008926
Book TitleJyare Tyare
Original Sutra AuthorN/A
AuthorRatnasundarsuri
PublisherRatnasundarsuriji
Publication Year
Total Pages34
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy