________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૮
પ્રશમરતિ શ્રવણેન્દ્રિયને તૃપ્તિ થાય ખરી? આંખોને એકનું એક રૂપ જોવું નથી ગમતું. રોજ એને નવાં નવાં રૂપ જોવાં હોય છે! એનો કોઈ અન્ત જ નહીં. એક, બે કે પાંચ સાત રૂપ જોઈને તૃપ્ત થઈ જાય, બીજા રૂપ જોવાની ઝંખના ન રહે તે એ જાત ઇન્દ્રિયની નહીં! ધ્રાણેન્દ્રિયને એકનું એક ગુલાબનું કે હીનાનું અત્તર નથી ગમતું, એને તો નવાં નવાં સેટ અને અત્તરો જોઈએ. એ ધરાય જ નહીં... નવી નવી માગણીઓ ઊભેલી જ હોય, રસનાની તો વાત જ ન કરો. એને નવાં નવાં ભાત ભાતનાં ભોજન જોઈએ! રોજ નવાં નવાં પીણાં જોઈએ! અને તૃપ્તિ થાય જ નહીં. સ્પર્શેન્દ્રિયને એકની એક વ્યક્તિનો કે એકની એક વસ્તુનો સ્પર્શ નથી ગમતો, જુદાં જુદાં શરીરોનો સ્પર્શ જોઈએ છે..... જુદી જુદી ને નવી નવી વસ્તુઓનો સ્પર્શ જોઈએ છે! એ ધરાય જ નહીં.
અસંખ્ય જડ-ચેતન વિષયોમાં વિસ્તરેલી ઇન્દ્રિયોની લોલુપતા આ રીતે શાન્ત થાય જ નહીં. જેમ જેમ તું એને વિષયો આપીશ તેમ તેમ એની અતૃપ્તિ વધવાની છે, એની તૃષા વધવાની જ છે. અગ્નિમાં લાકડાં હોમવાથી અગ્નિ શાન્ત થાય જ નહીં, અગ્નિ પ્રદીપ્ત ન થાય. જો ખરેખર તૃપ્ત બનવું હોય, તૃપ્તિની ખરેખરી ઝંખના જાગી હોય તો તારે એ ઇન્દ્રિયોને વિષયોના ઉપભોગથી રોકવી જોઈશે.
છે, એના અનેક ઉપાયો છે. જો તારી પૂર્ણ તૈયારી હશે તો ઉપાયો તને મળશે જ. તું સર્વપ્રથમ એ ઇન્દ્રિયોના સ્વભાવને ઓળખી લે. રોજની તરસી ને ભૂખી એ ઇન્દ્રિયોને બરાબર ઓળખી લે. અસંખ્ય વિષયો તરફ લોલુપ બનેલી એ ઇન્દ્રિયોના સાચા રૂપને જોઈ લે. ક્યારેય સર્વથા તૃપ્ત થતી નથી, આ વાત સ્વીકારી લે.
શુભાશુભ કલ્પનામાત્ર कश्चिच्छुभोऽपि विषय: परिणामवशात्पुनर्भवत्यशुभः |
कश्चिदशुभोऽपि भूत्वा कालेन पुनः शुभीभवति ।।४९।। અર્થ : ઇષ્ટ પણ કોઈ વિષય અધ્યવસાયના કારણે (પના પરિણામના કાર) અનિષ્ટ બને છે, વળી કોઈ અશુભ પણ (વિષય) થઈને કાલાન્તરે ઇષ્ટ બને છે (રાગના પરિણામથી).
વિઘન : મનની અકળ ગતિ છે! મનના ભેદ પામવા એ મામુલી ખેલ નથી. એ મનડાને જે કાલે ખૂબ ગમતું હતું તે આજે જરાય નથી ગમતું! અને
For Private And Personal Use Only