________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઈન્દ્રિયો સદા તરસી न हि सोऽस्तीन्द्रियविषयो येनाभ्यस्तेन नित्यतृषितानि ।
तृप्तिं प्राप्नुयुरक्षाण्यनेकमार्गप्रलीनानि ।।४८।। અર્થ : એવો કોઈ ઇન્દ્રિયનો વિષય નથી કે જેનું પુનઃ પુનઃ આસેવન કરવાથી, હમેશાં તરસી (અને) અનેક માર્ગે (શબ્દાદિ વિષયોના અનેક પ્રકારોમાં) ખૂબ લીન થયેલી ઇન્દ્રિય તૃપ્તિ પામે.
વિવેવન : તારે તૃપ્તિ જોઈએ છે? તૃપ્તિનાં અવિરત અમૃત-ઓડકારોનો સ્વાદ માણવો છે? તો તે પકડેલા મા તને તૃપ્તિ નહીં મળે. એ તૃપ્તિ મેળવવા ઘણા ઘણા પુરુષાર્થીઓ ગયા હતા. મોટા ભાગના પુરુષાર્થી એ માર્ગે અતૃપ્તિની વ્યથાપૂર્ણ ખાઈઓમાં ગરકાવ થઈ ગયા. થોડા પુરુષાર્થીઓ પાછા વળી ગયા ને તૃપ્તિના સાચા માર્ગે ચઢી ગયા.
તું એમ માની રહ્યો છે ને કે ઇન્દ્રિયોને પ્રિય વિષના ઉપભોગ મળે તો તૃપ્તિ થાય? તું આવું માની લેવા શાથી પ્રેરાયો, એ બતાવું? વિષયના ઉપભોગથી ઇન્દ્રિયોએ તને તૃપ્તિનો આભાસ બતાવ્યો! ક્ષણિક તૃપ્તિના એ આભાસમાં તું ભરમાય! મીઠા-મધુરા શબ્દો સાંભળવા મળ્યા, તને મઝા આવી ગઈ.... તે એ ઘડી-બે ઘડીની મઝાને “તૃપ્તિ માની લીધી. કોઈ રૂડા રૂપને જોયું.... આંખો એના પર ઠરી..... તને મઝા આવી ગઈ, તેં એ પવનના સુસવાટા જેવી મઝાને તૃપ્તિ માની લીધી! કોઈ હવાના ઘોડે ચઢીને સુવાસ આવી ગઈ, નાકને એ સવાસમાં મઝા આવી ગઈ, તેં એ મઝાને તૃપ્તિ માની લીધી! કોઈ મીઠા, તીખા કે કડવા રસના આસ્વાદમાં જીભને મઝા આવી ગઈ, તેં એને તૃપ્તિ સમજી લીધી! કોઈ મુલાયમ, કાળા, ગારા શરીરને ભેટવાનું મળ્યું...... એ સંધ્યાના ક્ષણિક રંગો જેવી મઝાને તેં તૃપ્તિ સમજી લીધી!
આ નરી ભ્રમણા છે ભાઈ! એ તૃપ્તિ નથી. તૃપ્તિ પછી પાછી અતૃપ્તિની આગ લાગે, તેને તૃપ્તિ કહેવાય? લાખ રૂપિયા મળ્યા અને થોડા કલાકો પછી લાખ રૂપિયા ચાલ્યા જાય, તો એ લાખ મળ્યા કહેવાય? રોજ એ ઇન્દ્રિયોને તૃપ્ત કરી ને રોજ અતૃપ્ત થઈ જાય! આ ઇન્દ્રિયોનો સ્વભાવ જ છે. એ હમેશાં તરસી જ રહે.... ક્યારેય એની તૃષા શાન ન થાય.
એ ઇન્દ્રિયોની બીજી ખાસિયત જાણો છો એને એકનો એક વિષય નથી ગમતો કાયમ! એને બદલાતા વિષયો જોઈએ છ! એકનું એક ગીત એને રોજ સાંભળવું નથી ગમતું.... એને નવાં નવાં ગીત સાંભળવા જોઈએ છે. કહો, એ
For Private And Personal Use Only