________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૦.
પ્રશમરતિ કરુણ મૃત્યુનું કારણ બની જાય છે. એ માછલીઓ જેમ રસના-જિલ્લાના વિષયો શોધે છે - વિષય મળતાં વળગી પડે છે, તેમ આ દુનિયામાં એવા મનુષ્યો પણ હોય છે કે જેઓ માછલીઓને શોધે છે! કારણ કે માછલી એમનું ભક્ષ્ય છે..... એમની રસનાને માછલી બહુ ભાવે... માછલીઓ દેખાતાં જ, તેઓ તેને પફડવા પાણીમાં જાળ પાથરે અથવા લોઢાના અણીદાર કાંટા ઉપર માંસના ટુકડા લગાવીને, દોરીથી એને બાંધીને, એ દોરીને એક લાકડી સાથે બાંધીને, એ કાંટો પાણીમાં નાંખે છે. માછલી એ માંસનો ટુકડો ખાવા જ્યાં મોંઢામાં એને દબાવે કે અંદર રહેલો લોઢાનો કાંટો એના મુખમાં ભરાઈ જાય..... પેલા માછીમારને ખબર પડી જાય..... લાકડીથી દોરીને ઊંચકી લે... એના હાથમાં માછલી આવી જાય...
પેલી જાળમાં તો એક સાથે અનેક માછલીઓ સપડાઈ જાય છે. કારણ જાણી લીધું ને? રસનેન્દ્રિયના પ્રિય અને મિષ્ટ વિષયની લોલુપતા. એ લોલુપતા મારે છે.
“મને તો અત્યંત સ્વાદિષ્ટ,... કોઈ પણ ખામી વિનાનું અને વિવિધતાવાળું જ ભોજન ગમે... શરબતો તો જોઈએ જ... શરાબ એકાદવાર તો લેવો જ પડે.. પશુ અને પક્ષીઓના માંસ વિના ન ચાલે. મારે આવી જ જાતના ચોખા ખાવા જોઈએ....' આવા આગ્રહ હોય, આવાં ભોજન-ભક્ષ્ય અને પીણાં-પેય ક્યાં મળે-એ જ ધૂન મનમાં હોય અને એવાં ભક્ષ્ય અને પેય મળી જાય એટલે એના પર તૂટી પડતો હોય તો એ વિષયગૃદ્ધિ કહેવાય.
શ્રી રામચન્દ્રજીના પૂર્વજોમાં અયોધ્યાના સિંહાસને સોદાસ નામનો રાજા થઈ ગયો. મંત્રીમંડળે એને પદભ્રષ્ટ કરી એના પુત્રને શા માટે રાજસિંહાસને બેસાડ્યો હતો, એ તમે જાણો છો? શાથી સોદાસ અયોધ્યા છોડીને જંગલોમાં ભાગી ગયો? રાજપાટ, પુત્રપરિવાર, વૈભવસંપત્તિ આદિ સર્વસ્વ શાથી હારી ગયો? મનુષ્યમાંસના ભક્ષણથી લાગેલી ભયંકર લત! સેંકડો માનવશિશુઓની હત્યા કરાવી પોતાની રસનેન્દ્રિયને રસપ્રચુર માંસાહારથી તૃપ્ત કરવાની લત! જંગલોમાં લોહી ખરડાયેલી તલવાર લઈ ભટક્તો સોદાસ નરપિશાચ બની ગયો.
સેફ શિષ્યોના ગુરુ અને હજારો લાખો અનુયાયીઓના લાડીલા એ મંગુઆચાર્ય, મરીન મથુરાની ગંદી ખાળમાં કેમ બંતર થયા? હજારો જબાનો પર જેમની કીર્તિકન્યા નૃત્ય કરતી હતી, હજારો મનુષ્યોના હૃદયસિંહાસન પર જેઓ દેવરૂપ બિરાજેલા હતા... તીવ્ર બુદ્ધિ અને અદ્દભુત શાસ્ત્રજ્ઞાન જેમની પાસે હતું, તે આચાર્યની આવી અવગતિ કેમ થઈ? રસનેન્દ્રિયના પાપે! ભક્તો
For Private And Personal Use Only