________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઇન્દ્રિયપરવશતા વેરે છે વિનાશ
મારી સામે બે દૃશ્ય હતાં : એક હતું સરોવરમાં ખીલેલાં કમળો ઉપર નાચતા અને કૂદતા ભમરાઓનું... બીજું હતું ચિરનિદ્રામાં પોઢી ગયેલા ભમરાનું આ બંને દૃશ્યો હતાં.... આમાં માનવીના જીવનનું આધ્યાત્મિક રહસ્ય ભરેલું હતું. એટલે તો મહર્ષિ આપણને ઉદ્યાનમાં લઈ આવ્યા છે! આં દૃશ્ય બતાવીને તેઓ કહે છે :
અરે માનવ, તું જડ પુદ્ગલ દ્રવ્યોની ગંધમાં આસક્ત ન થા. સુગન્ધિત“સેન્ટેડ'પાણીથી તારે સ્નાન કરવાં છે? શરીર ઉપર પફ-પાવડર અને લાલીનાં વિલેપન કરવાં છે? સદેવ તારા આવાસમાં મઘમઘાટ કરતી અગરબત્તીઓ સળગતી રાખવી છે? સુવાસિત પુખોનો ગુચ્છો લઈને તારે ફરવું છે? ખુબૂઓ પ્રસારતાં તેલ અને અત્તરો શરીર પર છાંટીને તારે સુગન્ધસાગરમાં ડૂબી જવું છે? ખરેખર, તું વિનાશના મહાસાગરમાં ડૂબી જઈશ.' પ્રશનઃ તો શું અમારે સુગધ લેવી જ નહીં? સુવાસ લેવી જ નહીં? ઉત્તર : હું આસક્ત થવાની ના પાડું છું. મનને એમાં લીન કરવાની ના પાડું છું. સહજ-સ્વાભાવિક રીતે સુવાસ આવતી હોય તો ગટર પાસે જવાનું કહેતો નથી. ગમે તેવી સુવાસ મળતી હોય, કદાચ મનને તે આદ્યાદિત પણ કરી જાય, છતાં એ સુવાસ સાથે મન બંધાઈ જવું ન જોઈએ. સુગન્ધભર્યા પદાર્થોમાં વારંવાર મન રમતું થવું ન જોઈએ. એ રમતું થઈ ગયું તો આત્મરમણતા કે પરમાત્મરમણતા મરી-પરવારી સમજો.
ભલે ભ્રમરની જેમ દ્રવ્યપ્રાણી ન ચાલ્યા જાય, પરંતુ પવિત્ર ભાવપ્રાણ... પવિત્ર અને શુભ વિચાર તો મરી પરવારશે જ.
मिष्टान्नपानमांसौदनादि-मधुररसविषयगृद्धात्मा।
गलयंत्रपाशबद्धो मीन इव विनाशमुपयाति ।।४४ ।। અર્થ : અત્યંત સ્વાદિષ્ટ ભોજન, મદ્યપાન, માંસ, દન અને મધુર રસ (સાકર વગેરેના), રસનાના આ વિષયોમાં આસક્ત આત્મા લોહયંત્રમાં અને તખ્તમય જાળમાં ફસાયેલી-પરવશ થયેલી માછલીની જેમ મૃત્યુ પામે છે.
વિવેદન : તમે કોઈ તળાવમાં, સરોવરમાં, કુંડમાં કે નદીમાં માછલીઓ જોઈ છે? પાણીની સપાટી ઉપર આવતી.... ક્ષા-બે ક્ષણે બહાર નજર કરતી અને વીજળીવેગે પાણીના ઊંડાણમાં સરી જતી એ માછલીઓ જોઈ છે? એ માછલીઓ એક માત્ર રસનેન્દ્રિયને પરવશ હોય છે..... બીજી ઇન્દ્રિયો હોય ખરી, પરન્તુ પરવશતા નહીં. રસનેન્દ્રિયના વિષયની પરવશતા..... એના
For Private And Personal Use Only