________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧. પુલાક
૨. બકુશ
૩. કુશીલ ૪. નિર્પ્રન્થ
૧.
૧૭, નિગ્રન્થ-સ્નાતક
સમ્યગ્ દર્શન-જ્ઞાન અને ચારિત્રની શુદ્ધિ-અશુદ્ધિની અપેક્ષાએ શ્રમણોના પાંચ પ્રકાર બતાવવામાં આવ્યા છે. બધા શ્રમણોનું ચારિત્રપાલન એક સરખું ન હોઇ શકે. શારીરિક બળ અને માનસિક બળની તરતમતા અને કર્મોના ઉદયની વિચિત્રતાના કારણે ચારિત્ર-પાલનમાં તરતમતા રહે જ.
શ્રમણોના પાંચ પ્રકાર :
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫. સ્નાતક
આ વિષમકાળમાં પુલાક, નિગ્રન્થ અને સ્નાતક કક્ષાના શ્રમણો ન હોઈ શકે, અત્યારે બકુશ અને કુશીલ કક્ષાના શ્રમણો હોય છે.
વિશુદ્ધિની તરતમતા :
અધ્યવસાયોની સહુથી ઓછી વિશુદ્ધિ પુલાકને હોય. તેનાથી વધારે વિશુદ્ધિ બકુશને હોય છે.
તંનાથી વધારે વિશુદ્ધિ નિગ્રન્થને હોય છે. તેનાથી વધારે વિશુદ્ધિ સ્નાતકને હોય છે.
પ્રસ્તુતમાં નિર્પ્રન્થ અને સ્નાતક-આ બે શ્રમણો અંગે વિસ્તૃત માહિતી આપવાની છે. એ સિવાયના ત્રણ પ્રકારના શ્રમણો અંગેની માહિતી ‘પંચનિર્પ્રી’ નામના પ્રકરણમાંથી મળી શકશે.
નિર્પ્રન્થ :
ગ્રન્થ એટલે ગાંઠ. ગ્રન્થ એટલે બંધન, જે ગ્રન્થરહિત બને તે નિગ્રન્થ કહેવાય. ગ્રન્થ-ગાંઠ બે પ્રકારની હોય છે : ૧. દ્રવ્ય-ગાંઠ, અને ૨. ભાવગાંઠ.
ધન, ધાન્ય, ઝવેરાત, સોનું, જમીન, પશુ, મનુષ્ય...વગેરેને દ્રવ્યગાંઠ કહેવાય. મિથ્યાત્વ કષાય-નોકષાયને ભાવગાંઠ કહેવાય. આ બંને પ્રકારની ગાંઠોનો ૨૧૬, ૧. કારિકા-૨૫૮
For Private And Personal Use Only