________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પડે.
પ્રશમરતિ, રહેશે શું? જેમ ધાન્યનો કોઠાર ભરેલો હોય, એમાંથી થોડું થોડું ધાન્ય ઓછું થતું જાય તો કાલાન્તરે ખાલી થઈ જાય છે. તેવી રીતે ઓછામાં ઓછો, છ મહિને એક એક જીવાત્મા તો મોક્ષે જાય જ છે-એવો નિયમ છે ને? કાળ અનંત છે...તેથી સંસારમાં ભવ્ય જીવો રહેશે જ નહીં.
ઉત્તર : આવી કલ્પના કરવાની જરૂર નથી. જેવી રીતે ભવિષ્યકાળ અનંત છે, અને આકાશ અનંત છે તેવી જ રીતે ભવ્ય જીવો અનંત છે. ભૂતકાળ અને ભવિષ્યકાળ સરખા છે! ભૂતકાળમાં એક નિગદના અનંતમા ભાગે ભવ્ય જીવો મોક્ષે ગયા છે અને ભવિષ્યકાળમાં પણ તેટલા જ મોક્ષે જશે, માટે ક્યારેય આ સંસાર ભવ્ય જીવોથી ખાલી થઈ જવાનો નથી! યાદ રાખો કે ભવ્ય જીવો કાળ અને આકાશની જેમ અનંત છે!
બીજી વાત : ૨૧જેટલા ભવ્ય જીવો છે, જેમની મોક્ષે જવાની યોગ્યતા છે, તે બધા જ જીવો મોક્ષે જાય જ-એવો નિયમ નથી, મોક્ષગમનની યોગ્યતા હોય, પરંતુ યોગ્ય સામગ્રી મળે તો જ મોક્ષે જાય. જેમ સોનું-પાષાણ કે લાકડું-આ બધામાં મૂર્તિ બનવાની યોગ્યતા છે, પરજુ કંઈ બધું સોનું મૂર્તિ નથી બનતું, બધા જ પાષાણ મૂર્તિઓ નથી બની જતી કે બધા લાકડાની પ્રતિમા નથી બની જતી. જેને યોગ્ય સામગ્રી મળે છે, તેની જ મૂર્તિ બને છે.
અથવા-અનાદિ-સંયુક્ત સોનું અને માટી, યોગ્ય સામગ્રી મળે તો જ જુદાં પડે છે. સામગ્રી ન મળે તો અનંતકાળે પણ જુદાં ન પડે! તાત્પર્ય એ છે કે યોગ્યતા હોય, પરંતુ યોગ્ય સામગ્રી મળે તો જ કાર્ય થાય, ન મળે તો કાર્ય ન થાય. અયોગ્યતાવાળાને યોગ્ય સામગ્રી મળે, છતાં કાર્યસિદ્ધિ નથી થતી.
ભવ્ય જીવને, યોગ્ય સામગ્રી મળે તો મોક્ષે જાય. * અભવ્ય જીવને યોગ્ય સામગ્રી મળે છતાં તે મોક્ષે ન જ જાય,
જ ભાવોની અપેક્ષાએ “ભવ્યત્વ' અને અભિવ્યત્વનાં સમાવેશ “પારિવામિક ભાવમાં કરવામાં આવેલ છે. અર્થાત્ ભવ્યત્વ-અભવ્યત્વ ભાવશે, કર્મના ઉદયથી કે ઉપશમથી, ક્ષયથી કે ક્ષયોપશમથી પેદા થતા નથી. અનાદિસિદ્ધ આત્મદ્રવ્યના અસ્તિત્વથી જ સિદ્ધ છે.
२१४. भण्णइ भव्यो जोग्गो न य जोगत्तेण सिज्झई सव्यो।
जह जोग्गम्मिवि दलिए सव्वत्थ न कीरए पडिमा।। २१५. तह जो मोक्खो नियमा सो भव्वाणं न इयरेसिं । - विशेषावश्यक भाष्ये
For Private And Personal Use Only