________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ૬૫
ભવ્ય-અભવ્ય ૧૦ કોડાકોડી સાગરોપમ = છ આરા થાય. છ આરા = એક ઉત્સર્પિણી કે એક અવસર્પિણી થાય. ઉત્સર્પિણી [૬ આરા અવસર્પિણી ૬િ આરા એક કાળચક્ર થાય.
૧૬ ભવ્ય-ભવ્ય "મડિતે શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને પૂછ્યું :
નીવત્તે અને મોડમડ્યોત્તિ છો એ? જીવોમાં જીવત્વ સમાન છે, તો ભવ્ય-અભવ્યનો ભેદ શા માટે?
ભગવંતે કહ્યું :
મંડિત, જીવ અને આકાશમાં દ્રવ્યત્વ, શયત્વ, પ્રમેયત્વ સમાન હોય છે ને? છતાં જીવમાં જીવત્વ અને આકાશમાં અજીવત્વ જુદાં હોય છે ને? તેવી રીતે જીવોમાં જીવત્વ સમાન હોવા છતાં ભવ્યત્વ અને અભિવ્યત્વ જુદો હોઈ શકે. મોક્ષગમનની અપેક્ષાએ આ ભેદ છે. જે જીવમાં મોક્ષે જવાની યોગ્યતા હોય તે ભવ્ય કહેવાય અને જે જીવમાં મોક્ષે જવાની યોગ્યતા જ ન હોય તેને અભવ્ય કહેવાય,
આ ભવ્ય-અભવ્યનો ભેદ કર્મજનિત નથી; પરંતુ સ્વાભાવિક હોય છે. છતાં તે ભવ્યત્વ જીવત્વની જેમ નિત્ય-અવિનાશી નથી. અનાદિ-સાંત છે! કારણ કે મોક્ષમાં ગયેલા જીવમાં ભવ્યત્વ હોતું નથી. સિદ્ધ આત્માઓ ભવ્ય નથી હોતા કે અભવ્ય પણ નથી હોતા!
ભવ્ય જીવોને કર્મનો સંયોગ અનાદિ-સાંત હોય છે; જેમ સુવર્ણ અને માટીનો યોગ હોય છે તેમ. અનાદિકાલીન સંયોગ ખરો, પરન્તુ એનો અત્ત આવી શકે, એ સંયોગ તુટી શકે.
અભવ્ય જીવોને કર્મનો સંયોગ અનાદિ-અનંત હોય છે. જેમ જીવ અને આકાશનો સંયોગ હોય છે તેવી. સંયોગ અનાદિ કાલીન હોય અને અનન્તકાળ રહે, ક્યારેય સંયોગ તૂટે નહીં.
પ્રશન : જો બધા ભવ્ય જીવો મોક્ષે જનારા હોય તો કાળક્રમે આ સંસાર ભવ્ય જીવો વિનાનો નહીં થઈ જાય? સંસારમાં પછી એકલા અભવ્ય જીવો જ ૨૧૧. કારિકા-૨૨૨૨૨૩ ૨૧૨. શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના છઠા ગણધર, २१३. भव्वाऽभव्वा सभावओ' - विशेषावश्यक भाष्ये
For Private And Personal Use Only